તમારે પણ e-Shram Cardની એપ્લીકેશન રિજેક્ટ થઈ હોય તો અહીં આપેલી જાણકારી વિશે વાંચી લો.
ઈ-શ્રમ કાર્ડની અરજી રદ્દ થઈ છે?
અરજી કરતી વખતે આટલી વાતોનું રાખો ધ્યાન
એપ્લીકેશન નહીં થાય કેન્સલ
દેશમાં એક ખૂબ મોટો વર્ગ છે જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. આ લોકો દરરોજ કમાઈને ખાય છે. કોરોના મહામારીમાં લોકડાઉન બાદ મોટી સંખ્યામાં શ્રમિકોના રોજગાર છીનવાઈ ગયા. એવામાં તે શહેરોથી ગામની તરફ પલાયણ કરવા લાગ્યા હતા. આ પરેશાનને જોતા કેન્દ્રની મોદી સરકારે આ શ્રમિકો માટે એક કાસ યોજના શરૂ કરી છે.
24 કરોડ શ્રમિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
આ યોજનાનું નામ ઈ-શ્રમિક કાર્ડ યોજના છે. આ ખૂબ જ ફાયદાકારક યોજના છે. જેના હેઠળ સરકાર શ્રમિકોને આર્થિક અને સોશિયલ સિક્યોરિટીની મદદ આપે છે. શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર અત્યાર સુધી આ યોજનામાં 24 કરોડ શ્રમિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકારનું લક્ષ્ય છે કે દેશના બધા જ 38 કરોડ શ્રમિકો આ યોજનાની સાથે જોડાય.
ઈ-શ્રમિક કાર્ડ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ઘણા લોકોને આ યોજનાનો લાભ નથી મળી રહ્યો. ઈ-શ્રમિક કાર્ડ યોજનાનું ફોર્મ રિજેક્ટ થવાના ઘણા કારણ છે. જો તમારી અરજી પણ વારંવાર રિજેક્ટ થઈ રહી છે તો તેની પાછળ ઘણા કારણો હાઈ શકે છે.
આ કારણોથી રીજેક્ટ થઈ શકે છે એપ્લિકેશન
ઈ-શ્રમ કાર્ડ બનાવતી વખતે શ્રમિકો પાસેથી ઘણા પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવા માટે કહેવામાં આવે છે. તેમાં આધાર કાર્ડની કોપી, બેન્ક એકાઉન્ટની જાણકારી, મોબાઈલ નંબર વગેરે ડિટેલ્સ અપલોડ કરવા માટે કહેવામાં આવે છે. જે તમે ડિટેલ્સ અપલોડ કરતી વખતે કોઈ પ્રકારની ભૂલ કરો છો તો આવી સ્થિતિમાં તમારે અરજી કેન્સલ થઈ શકે છે.
કોઈ અન્ય યોજનાનો લાભ ન લઈ શકાય
ઈ-શ્રમિક કાર્ડ એપ્લીકેશન રિજેક્ટ થવાનું બીજુ સૌથી મોટુ કારણ હોઈ શકે છે કે તમે પહેલાથી જ કોઈ શ્રમ મંત્રાલયની યોજનાના લાભાર્થી છો. કોઈ પણ પ્રકારની સરકારી યોજનાના લાભાર્થી ઈ-શ્રમ કાર્ડ માટે એપ્લાય ન કરી શકે. જો તમે આમ કરો છો તો બાદમાં તમારી અરજી કેન્સલ થઈ શકે છે.
ઈ-શ્રમિક કાર્ડ યોજનામાં ફક્ત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર મજૂરો જ અરજી કરી શકે છે. સેલેરી મેળવનાર અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકો તેના માટે યોગ્ય નથી. જો તમે કોઈ સંગઠિત ક્ષેત્રના વેતનભોગી છો અને આ યોજના માટે અરજી કરી રહ્યા છો તો આવી સ્થિતિમાં પણ અરજી રદ્દ થઈ શકે છે.
અરજી કરનાર વ્યક્તિ સરકારી પેન્શનનો લાભ લેતુ ન હોવું જોઈએ
જો કોઈ વ્યક્તિ કોઈ પ્રકારનું સરકારી પેન્શનભોગી છે તો તેને આ યોજનાનો લાભ ન મળી શકે. પેન્શનભોગી લોકો આ સ્કિમમાં અરજી કરે તો તેમની એપ્લીકેશન રદ્દ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે આ મહિનાના અંત સુધી સરકાર ઈ-શ્રમ કાર્ડ ધારકો માટે આવનાર હપ્તો જાહેર કરવાની છે. તેની સાથે જ પીએફ ખાતાધારક પણ આ સ્કીમનો લાભ નહીં ઉઠાવી શકે. તેની સાથે જ ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરનાર લોકોનું પણ ફોર્મ રિજેક્ટ કરવામાં આવી શકે છે.