ઈ-રિક્ષા ડ્રાઈવર દ્વારા પુછવામાં આવેલા સવાલોના સાચા જવાબ આપ્યા તો ભાડુ નથી આપવું પડતું.
આ રિક્ષામાં બેસવું હોય તો નોલેજ વધારે જોઈશે
ઈ-રિક્ષાનો ડ્રાઈવર પુછે છે જનરલ નોલેજના પ્રશ્નો
જો જવાબ સાચા આપ્યા તો ભાડુ નહીં આપવાનું
તમારૂ જનરલ નોલેજ કેવું છે. એ વાતનો જવાબ તમને આ ઈ-રિક્ષામાં બેસીને મળી જશે. જી હાં, આ વાત બિલકુલ સાચી છે. જો તમે આ ટોટોવાળી ઈ-રિક્ષાની સવારી કરવા માંગો છો તો તમારે ઘરેથી અભ્યાસ કરીને નીકળવું પડશે. આ ઈ-રિક્ષાનો ડ્રાઈવર આવી ઓફર આપે છે કે જો તેના પ્રશ્નોના જવાબ સાચા આપ્યા તો ફ્રી રાઈડ આપવામાં આવશે. જે પણ આ ઈ-રિક્ષા પર બેસે છે. તેને પ્રશ્ન કરવામાં આવે છે.
આ રિક્ષાની સવારી કરનાર વ્યક્તિએ શેર કર્યો અનુભવ
ફેસબુક પર સંકલન સરકાર નામના યુઝરે પોતાનો અનુભવ લોકો સાથે શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે જ્યારે બંગાળના હાવડા સ્થિત લિલુઆમાં ઈ-રિક્ષાની સવારી કરવા માટે પોતાની પત્નીની સાથે તેમાં બેઠા તો તેને ડ્રાઈવર સુરજંન કર્મકારે (Suranjan Karmakar) એક ઓફર આપી. સંકલને પોતાની પોસ્ટ દ્વારા સંપૂર્ણ સ્ટોરી શેર કરી. લિલુઆમાં ઈ-રિક્ષાને ટોટો કહેવામાં આવે છે.
યુઝરે પોતાની પોસ્ટમાં આપી જાણકારી
યુઝરે પોતાની પોસ્ટમાં આ રિક્ષા ડ્રાઈવર વિશે જાણકારી આપી હતી. તેણે જણાવ્યું કે રિક્ષા ડ્રાઈવરે તેમને જણાવ્યું કે જો તે તેના પ્રશ્નોના 15 સાચા જવાબ આપી દે તો તે ભાડુ નહીં લે. તેણે જણાવ્યું કે દરેક પ્રશ્ન જનરલ નોલેજ પર પુછવામાં આવશે. અને જો એક પણ પ્રશ્નનો જવાબ ખોટો નિકળ્યો તો તેને ડબલ ભાડુ ચુકવવું પડશે.
યુઝરે એક પોસ્ટમાં શેર કર્યો રાઈડનો અનુભવ અને રિક્ષા ચાલકની ઓફર