પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતોને અત્યાર સુધી 10 હપ્તાના પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.
55થી 60 ટકા આબાદીની કમાણીનો સ્ત્રોત કૃષિ
સરકાર ખેડૂતો માટે ચલાવે છે ઘણી યોજનાઓ
જાણો ક્યારે આવશે PM કિસાન યોજનાનો 11મો હપ્તો
ભારતમાં હજુ પણ 55થી 60 ટકા આબાદીની કમાણીનો સ્ત્રોત કૃષિ અથવા તેનાથી જોડાયેલા વ્યવસાય જ છે. આજ કારણ છે કે સરકારની તરફથી કરોડો ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે ઘણા પ્રકારની યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે. આવી જ એક યોજનામાંથી એક છે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે.
જણાવી દઈએ કે ખેડૂતોના ખાતામાં દર ચાર મહિનાના અંતરમાં બે-બે હજાર રૂપિયા કરી ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં રકમ આપવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી આ યોજનાના 10 હપ્તાના પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવી ચુક્યા છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, ખેડૂતોના ખાતામાં 11મો હપ્તો પણ ગમે ત્યારે આપી દેવામાં આવી શકે છે.
ગમે ત્યારે ટ્રાન્સફર થઈ શકે છે 11મો હપ્તો
સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે એપ્રિલ મહિનામાં જ હપ્તા ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ ઘણા ખેડૂતોના e-KYCની પ્રક્રિયા પુરી ન થવાના કારણે તેમાં મોડુ થઈ રહ્યું છે. પીએમ કિસાન યોજનાનો ફાઈનલ હપ્તો એક એપ્રિલથી જુલાઈની વચ્ચે મોકલવામાં આવે છે. બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બરની વચ્ચે આવે છે. જ્યારે ત્રીજો હપ્તો સરકાર ડિસેમ્બરથી માર્ચ મહિનાની વચ્ચે ટ્રાન્સફર કરી શકે છે.
હવે 31 મે સુધી કરાવી લો e-KYC
10માં હપ્તા વખતે ઘણી ગડબડી સામે આવી હતી. ખબર એ પણ સામે આવી હતી કે ખેડૂતોના ખાતામાં પણ પૈસા જતા રહ્યા હતા જે તેમના પાત્ર ન હતા. હવે પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પર લેટેસ્ટ ખબર આવી છે કે 11માં હપ્તા માટે e-KYC જરૂરી છે. સરકારે e-KYCની છેલ્લી તારીખ વધારીને 31 મે કરી દીધી છે.
અમુક સમય પહેલા આધાર અને ઓટીપી દ્વાકા થઈ રહેલા e-KYCને થોડા દિવસો માટે રોકી દેવામાં આવ્યું હતું. જ્યાર બાદ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન ઉપરાંત ઓફલાઈન પણ આ પ્રક્રિયાને પુરી કરી શકાય છે. તેના માટે તેમણે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા આ પ્રક્રિયા પુરી કરવાની રહેશે.