ભારતમાં કેન્દ્રીય કેબીનેટે લીધેલા નિર્ણય મુજબ ઈ-સીગરેટસ અને તેને લગતા તમામ ઉત્પાદનો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે એ સમજવું જરૂરી બન્યું છે કે ઈ-સીગરેટસ શું છે અને એ શા માટે હાનિકારક છે. આમ છતાં એક સળગતો પ્રશ્ન ઉભો રહે છે કે સરકાર તમાકુના અન્ય ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવાનો શા માટે આગ્રહ નથી રાખતી?
સરકારે મુક્યો ENDS(ઈલેક્ટ્રોનિક નિકોટીન ડીલીવરી સિસ્ટમ) પર પ્રતિબંધ
ICMR એ સાબિત કર્યું કે ઈ-સિગરેટ્સ પણ રેગ્યુલર સિગરેટ્સ જેટલી જ હાનિકારક
જો ઈ-સિગરેટ્સ સ્વાથ્ય માટે હાનિકારક હોવાથી તેના પર પ્રતિબંધ તો રેગ્યુલર સિગરેટ્સ પર કેમ નહિ?
શું છે ENDS (ઈલેક્ટ્રોનિક નિકોટીન ડીલીવરી સિસ્ટમ) અથવા ઈ-સિગરેટ્સ ઉત્પાદનો?
ENDS(ઈલેક્ટ્રોનિક નિકોટીન ડીલીવરી સિસ્ટમ) અથવા ઈ-સિગરેટ્સ બેટરી વડે ચાલતા ઉત્પાદનો છે જેમાં નિકોટીન સાથે મિશ્રિત પ્રવાહીઓને બેટરી વડે ગરમ કરીને તેમને વરાળમાં ફેરવવામાં આવે છે. આ વરાળને શ્વાસ વાટે અંદર લઈને ફેફસામાં ભરીને તેને બહાર ફેકવામાં આવે છે. તેનો આકાર રેગ્યુલર સિગરેટ્સ કરતા જુદો હોય છે અને તે નાનકડી પેન અથવા USB પેનડ્રાઈવ જેવા દેખાતા હોય છે.
શું ઉદ્દેશ્ય હતો ENDS અથવા ઈ-સિગરેટ્સ ઉત્પાદનોનો?
ENDS અથવા ઈ-સિગરેટ્સ ઉત્પાદનોનો હેતુ સિગરેટ્સ અને તમાકુના વ્યસનીને સિગરેટ્સ કરતા ઓછું નુકશાન કરે તેવી પ્રોડક્ટ તરફ વાળીને ક્રમશઃ તેને સિગરેટ્સના વ્યસનથી મુક્ત કરવાનો હતો.
કેમ ઉદ્દેશ્ય નિષ્ફળ રહ્યો?
૨૦૦૬માં જયારે યુરોપમાં પહેલવહેલી વખત ઈ-સિગરેટ્સ લોન્ચ થઇ ત્યારે તેને બે પ્રકારના લોકો પીતા હતા. ૧. જેઓ પોતાનું રેગ્યુલર સિગરેટ્સનું વ્યસન છોડવા માંગતા હતા. આ લોકો કમનસીબે વખત જતા ઈ-સિગરેટ્સના વ્યસની થવા માંડ્યા. ૨. તરુણો અને યુવાનો જેમણે ક્યારેય રેગ્યુલર સિગરેટ્સ પીધી નહોતી તેઓ પણ ઈ-સિગરેટ્સના રવાડે ચડી ગયા. આ યુવાનો વખત જતા રેગ્યુલર સિગરેટ્સ પણ પીવા માંડ્યા. આમ ઈ-સિગરેટ્સ તેમને રેગ્યુલર સિગરેટ્સની શરૂઆત કરવા માટે પ્રેરક ઉત્પાદન બની ગયું.
તરુણો અને ઈ-સિગરેટ્સ
ઈ-સિગરેટ્સ અલગ અલગ સ્વાદ(ફ્લેવર્સ)માં આવતી હોવાથી તરુણોમાં તેનો ખુબ ક્રેઝ જોવા મળે છે. એક સંશોધન અનુસાર તરુણો અલગ અલગ મૂડ પ્રમાણે ઈ-સિગરેટ્સના જોરજોરથી, વધુ પ્રમાણમાં, ઊંડા ઊંડા કશ લે છે. તેઓ ઈ-સિગરેટ્સને રમકડાની જેમ અલગ અલગ રીતે મંતર્યા કરે છે. તેનો ખોટો ઉપયોગ પણ તબિયત પર ખરાબ અસરો પાડે છે. તેનું કદ અને આકાર નાનો હોવાથી તેને કોઈ પણ સ્થળે પી શકાય છે આથી ઈ-સિગરેટ્સને ક્લાસરૂમમાં પીવાનું પણ ચલણ વધ્યું છે.
ક્યાંથી થઇ પ્રતિબંધની શરૂઆત?
સિગરેટ્સ પિતા લગભગ ૩૮૦ લોકોને ગંભીર ફેફસાની બીમારીઓ સામે આવી અને ૬ વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યુ થયા.સિગરેટ્સ પર પ્રતિબંધ મુક્યો. અમેરિકાના એક સર્વે મુજબ ઈ-સિગરેટ્સ પર પ્રતિબંધ મુકવાવાળું પ્રથમ શહેર હતું. ત્યાર પછી ન્યુ યોર્ક શહેરે પણ ઈ-સિગરેટ્સ પર પ્રતિબંધ મુક્યો. અમેરિકાના એક સર્વે મુજબ ઈ-સિગરેટ્સ પિતા લગભગ ૩૮૦ લોકોને ગંભીર ફેફસાની બીમારીઓ સામે આવી અને ૬ વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યુ થયા.
ઈ-સિગરેટ્સ રેગ્યુલર સિગરેટ્સ કરતા ઓછુ નુકશાન કરે છે તે ખોટી માન્યતા છે
એક રીપોર્ટ પ્રમાણે ઈ-સિગરેટ્સ વ્યક્તિમાં હાર્ટ એટેકનું પ્રમાણ ૫૬% સુધી વધારી દે છે. ઈ-સિગરેટ્સ પિતા લોકોના લોહીમાં બ્લડ ક્લોટ્સનું પ્રમાણ વધે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે. ભારતની ઇન્ડીયન સેન્ટર ઓફ મેડીકલ રીસર્ચ ICMRએ વ્હાઈટ પેપર રજુ કરતા ઈ-સિગરેટ્સના જોખમો વિષે અહેવાલ બનાવ્યો છે જે મુજબ ઈ-સિગરેટ્સ વ્યક્તિના DNAને પણ નુકશાન પહોચાડી શકે છે. તે કેન્સરની સંભાવનાઓ વધારે છે અને ગર્ભધારણ કરતી મહિલાને ગર્ભ પડી જવા સુધીની ગંભીર અસરો ઈ-સિગરેટ્સના કારણે થઇ શકે છે.
ભારતમાં ઈ-સિગરેટ્સનું વધતું માર્કેટ, મોટાભાગના ઉત્પાદનો ચીનથી આયાત થાય છે
૨૦૧૭માં ભારતમાં ઈ-સિગરેટ્સનું ૧૦૭ કરોડનું માર્કેટ હતું. જો આ પ્રતિબંધ ન આવ્યો હોત તો આ માર્કેટ ૨૦૨૪માં ૩૨૨ કરોડ સુધી પહોચી જવાની સંભાવના હતી. ભારતમાં ઈ-સિગરેટ્સની ૪૬૦થી વધુ બ્રાન્ડ્સ છે અને તેની ૭૭૦૦થી વધુ ફ્લેવર્સ છે.
કેમ અત્યાર સુધી પ્રતિબંધ ન હતો?
સ્વાસ્થ્ય મંત્રાલયે આ પહેલા પણ ઈ-સિગરેટ્સના પ્રતિબંધ માટે કવાયત હાથ ધરી હતી. પરંતુ ભારતીય કાયદાઓમાં આપવામાં આવેલી વ્યાખ્યાઓમાં આ ઈ-સિગરેટ્સ બેસતી ન હોવાથી તેને નુકશાનકારક ડ્રગ તરીકે સાબિત કરવી મુશ્કેલ હતી. પરંતુ હવે ICMRના મેં ૨૦૧૯ના વ્હાઈટ લેટરએ ENDS ઉત્પાદનોની હાનિકારક અસરો વિષે અહેવાલ આપીને તેને પ્રતિબંધિત કરી દેવા ઉપર ભાર મુક્યો જેથી આ કામ સરળ થઇ ગયું.
કેટલી સજાની જોગવાઈ કરી છે?
પ્રજાનો સવાલ; શું ઈ-સિગરેટ્સ પરનો પ્રતિબંધ રેગ્યુલર સિગરેટ્સ બનાવતી કંપનીઓના આર્થીક લાભ માટે ઘડવામાં આવ્યો છે?
ઈ-સિગરેટ્સ પરના પ્રતિબંધના તરત પછી VST ઈન્ડસ્ટ્રી, ગોલ્ડન ટોબેકો વગેરે કંપનીઓના શેરના ભાવોમાં ઉછલો જોવા મળ્યો હતો. આ એવું પુરવાર કરે છે કે આ પ્રતિબંધ રેગ્યુલર સિગરેટ્સ બનાવતી કંપનીઓના આર્થીક લાભ કરશે કારણકે ઈ-સિગરેટ્સ પિતા ઘણા લોકો હવે રેગ્યુલર સિગરેટ્સ તરફ વળશે.
જો ઈ-સિગરેટ્સ સ્વાથ્ય માટે હાનિકારક હોવાથી તેના પર પ્રતિબંધ તો રેગ્યુલર સિગરેટ્સ પર કેમ નહિ?
રેગ્યુલર સિગરેટ્સ ઈ-સિગરેટ્સ કરતા ઘણી વધુ હાનિકારક છે એ વાત જગજાહેર છે. ICMRના અહેવાલ અનુસાર ૨૦૨૦માં ભારતમાં દર વર્ષે ૧૭ લાખ કેન્સરના નવા દર્દીઓ ઉમેરાશે. જેમાંથી આશરે ૮ લાખના મોત થઇ શકે છે. ભારતમાં આશરે ૨૭ કરોડ લોકો તમાકુ ઉત્પાદનોનાં આદિ છે. ભારતમાં કેન્સરનું સૌથી મોટું કારણ તમાકુ ઉત્પાદનો છે.
આવા સમયે ઈ-સિગરેટ્સ પર પ્રતિબંધ મુકીને રેગ્યુલર સિગરેટ્સની જૈસે થે જેવી સ્થિતિ શંકાસ્પદ લાગે છે. ફક્ત રેગ્યુલર સિગરેટ્સ જ નહિ દેશમાં ગુટખા, માવો, મસાલો,પાન વગેરે સ્વરૂપમાં પણ તમાકુ છૂટથી વેચાય છે. જે રાજ્યોમાં આ ઉત્પાદનો પર પ્રતિબંધ છે ત્યાં પણ તમાકુ રસિયાઓ આરામથી આ ઉત્પાદનો વાપરે છે. આવા સમયે સરકારનો માત્ર ઈ-સિગરેટ્સ પર પ્રતિબંધ પ્રજાના ગળે ઉતરતો નથી અને દેશભરમાં આ એકતરફી પ્રતિબંધને લઈને હાલ ચર્ચા ચારેતરફ છે. આવામાં આગામી સમયમાં જોવાનું રહેશે કે યુવાધનની ચિંતા કરનાર સરકાર ગુટખા-સિગરેટ્સ પર પણ કોઈ પ્રતિબંધ લાદશે કે નહીં.
સોશિયલ મીડિયા ઉપર યુઝર્સ આ મુદ્દે કટાક્ષભર્યા ટ્વિટ વહેતા કર્યા હતા.