રાજકોટ જિલ્લાનાં ડીવાયએસપી જે. એમ ભરવાડે એક આરોપીને માર નહી મારવા બાબતે લાંચ માંગી હતી. જેને પગલે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. આ ઘટનામાં જે. એમ ભરવાડનાં કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા હતાં. જ્યારે ફરાર ભરવાડ આજે રાજકોટ એસીબી સમક્ષ હાજર થયાં હતાં.
લાંચ પ્રકરણમાં કોન્સ્ટેબલ પકડાયો હતો અને ડીવાયએસપી ફરાર હતા
સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મંજુર કરાયા હતા
કોન્સ્ટેબલે સ્વીકાર્યું કે લાંચ ડીવાયએસપીનાં કહેવાથી લીધી હતી
હથિયારનાં ગુનામાં પકડાયેલાં આરોપીને માર ન મારવા બાબતે ડીવાયએસપી જે એમ ભરવાડ દ્વારા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેમાં 8 લાખમાં સોદો નક્કી થયો હતો. આ કેસમાં એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. આ કેસમાં ફરાર ડીવાયએસપી જે. એમ. ભરવાડ આજે રાજકોટ એસીબી સમક્ષ હાજર થયા હતાં.
સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મંજુર કરાયા
લાંચ પ્રકરણનાં આરોપી જે. એમ. ભરવાડે પહેલાં ધોરાજી સેશન્સ કોર્ડમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેમાં ફોન ટ્રાન્સ્ક્રીપ્ટ, વ્હોટ્સએપ મેસેજ જોતાં જે.એમ. ભરવાડ સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ બનતો હોવાથી ધોરાજી સેશન્સ કોર્ટે ડી.વાય.એસ.પી. ભરવાડની આગોતરા જામીન અરજી ફગાવી હતી. ધોરાજી સેશન્સ કોર્ટે આગોતરા જામીનની અરજી રદ કરતા હાઇકોર્ટમાં અપીલ કરી જે.એમ. ભરવાડની રજૂઆત હતી કે તેઓ નિર્દોષ છે અને આ કેસમાં તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જો કે હાઈકોર્ટે જામીન ફગાવી દીધા હતાં. એ બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મુક્યાં હતા. સુપ્રીમ કોર્ટે તેમનાં આગોતરા જામીન મંજુર કર્યાં હતાં.
કેસ શું હતો
હથિયારનાં ગુનામાં પકડાયેલા આરોપીને માર ન મારવા બાબતે 10 લાખની લાંચ માંગવામાં આવી હતી. જે સોદો અંતે 8 લાખમાં નક્કી થયો હતો. આ ઘટનામાં એસીબીન વી. એ દેસાઈ અને મદદનીશ નિયામક એન.ડી. ચૌહાણ અને તેમની ટીમે ટ્રેપ ગોઠવી હતી. જેમણે 3 ઓગસ્ટે પોરબંદર -રાજકોટ હાઈવે પર આવેલા આવકાર રેસ્ટોરન્ટમાં જેતપુર સીટી પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ વિશાલ સોનારાને 8 લાખની લાંચ લેતા ઝડપ્યાં હતાં. આ બાદ ડીવાયએસપી જે. એમ. ભરવાડ ફરાર થઈ ગયાં હતાં. 8 ઓગસ્ટે સોલા વિસ્તારમાં ટ્રાફિક પોલીસને એક બિનવારસી કાર મળી આવી હતી.કારમાંથી પોલીસનો યુનિફોર્મ મળ્યો હતો અને તપાસ કરતા બહાર આવ્યું હતું કે આ કાર જે.એમ. ભરવાડની છે.
કોન્સ્ટેબલે સ્વીકાર્યું કે લાંચ ડીવાયએસપીનાં કહેવાથી લીધી હતી
કોન્ટેબલ સોનારા અને ફરીયાદીની વચ્ચેની ટેલિફોનિક વાતચીતની ટ્રાન્સક્રીપ્ટમાં જે. એમ. ભરવાડનો ઉલ્લેખ છે. તેમજ સોનારાએ નિવેદનમાં કબુલ્યું હતું કે તેમણે આ લાંચ જે. એમ ભરવાડનાં કહેવાથી માંગી હતી. જેતપુરમાં નોંધાયેલા લાંચ કેસમાં તેમની કોઈ ભૂમિકા નથી. તેઓ 22 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. પોલીસ સબ ઈન્સપેક્ટરમાંથી પોલીસ ઈન્સપેક્ટર અને પોલીસ ઈન્સપેક્ટરમાંથી ડી.વાય.એસ.પી. તરીકે તેમણે પ્રમોશન મેળવ્યું છે અને તેમની કામગીરીનો અત્યાર સુધીનો રેકોર્ડ સ્વચ્છ રહ્યો છે. તેમને આગોતરા જામીન મળવા જોઈએ. તેવી રજુઆત તેમણે હાઈકોર્ટમાં આગોતર જામીન માટે મુકેલી અરજીમાં કરી હતી.