સુરતમાં આગમન બાદ મનીષ સિસોદિયાએ કહ્યું કે હું જ્યારથી ગુજરાત આવી રહ્યો છું દરેક વખતે અનુભવું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને ઉર્જા વધતી જઈ રહી છે.
ગુજરાતમાં AAPને લઈને ઉર્જા વધી રહી છે: મનીષ સિસોદીયા
ગુજરાતના કાર્યકરોમાં પણ ઉત્સાહ વઘી રહ્યો છે: મનીષ સિસોદીયા
ગુજરાતની હવા બદલાઈ રહી છે: મનીષ સિસોદીયા
ગુજરાતમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે ચૂંટણીને લઈને અત્યારથી રાજ્યમાં રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં આ વખતે મોટા દાવાઓ કરી રહી છે અને કેજરીવાલની નજર ગુજરાતની વિધાનસભા પર છે ત્યારે કેજરીવાલ બાદ હવે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે.
ગુજરાતની હવા બદલાઈ રહી છે: મનીષ સિસોદીયા
સુરત એરપોર્ટ દ્વારા આપ નેતા ઈસુદાન ગઢવીએ તેમનું સ્વાગત કર્યું હતું અને સુરતમાં આગમન બાદ મનીષ સિસોદિયાએ કહ્યું કે હું જ્યારથી ગુજરાત આવી રહ્યો છું દરેક વખતે અનુભવું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને ઉર્જા વધતી જઈ રહી છે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ સતત વધતો જઈ રહ્યો છે અને ગુજરાતની હવા બદલાઈ રહી છે. આજે આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.
પાટીદાર અગ્રણી ઉદ્યોગપતિઓ થામી શકે છે AAPનું દામન
નોંધનીય છે કે ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીમાં આજે રણનીતિ બનાવી શકાય છે. આજે સુરતમાં આમ આદમી પાર્ટીમાં વધુ કેટલાક કાર્યકર્તાઓ જોડાઈ શકે છે જ્યારે મોટા પાટીદાર ઉદ્યોગપતિ પણ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો છે.
ભાજપ અને કોંગ્રેસ પર આપની અસર થશે?
નોંધનીય છે કે આ પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદના પ્રવાસે આવ્યા હતા જ્યાં પત્રકાર ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. આમ આદમી પાર્ટીનો દાવો છે કે તે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના એક મોટા વિકલ્પ તરીકે બહાર આવશે. જ્યારે બીજી તરફ ભાજપનો આરોપ છે કે આપ કોંગ્રેસની બી ટીમ છે અને કોંગ્રેસનો પણ આરોપ છે કે ભાજપને જીતાડવા માટે જ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા છે.