આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે અંબાજીમાં રૂપાલની પલ્લી અંગે મહત્વનું નિવેદન આપ્યું હતુ. સાથે સાથે તેમણે ખેડૂતો અને શિક્ષકો અંગે પણ કેટલીક અગત્યની વાત કરી હતી.
નીતિન પટેલનું મહત્વનું નિવેદન
''રૂપાલની પલ્લી નહીં યોજાય''
''કોરોનાના કારણે નહીં યોજાય પલ્લી''
અંબાજીમાં DYCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે રૂપાલમાં આઠમની પલ્લીને લઈને મોટી વાત કરતા જણાવ્યું હતુ કે આ વખતે રૂપાલની પલ્લી નહીં યોજાય. કોરોના સંક્રમણને લઈ નિર્ણય કરાયો છે.
ખેડૂતો માટે તેમણે કહ્યું હતુ કે, માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોનો રિપોર્ટ કલેક્ટરો પાસેથી મંગાવાશે અને સરકારે કિસાન સહાય આપવાની શરૂઆત કરી દીધી છે. કિસાન સહાયમાં સમાવેશ ન હોય એવા તાલુકાના રિપોર્ટ પણ મંગાવાશે. 4200 ગ્રેડ પે ને લઇ સરકાર ટૂંક જ સમયમાં અગત્યની જાહેરાત કરશે.