કેન્દ્ર સરકારની કોરોના વેક્સિનની મંજૂરી બાદ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
કોરોના વેક્સિન મંજૂરી બાદ નીતિન પટેલનું નિવેદન
ભારત સરકારે વેકસીનને મંજૂરી આપી છેઃ નીતિન પટેલ
પહેલી જનયુઆરીએ કોવિશિલ્ડ અને બીજી તારીખે બાયોટેકની વેક્સિનને સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેને હવે સર્વોચ્ચ સંસ્થાએ પણ કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે ત્યારે આ સમયે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેનું નિવેદન સામે આવ્યું હતુ.
શું કહ્યું નીતિન પટેલે?
કોરોના વોરિયર્સ અને સિનિયર સિટીઝનને સૌ પ્રથમ વેક્સિન આપવામાં આવશે. ત્રણ તબક્કામાં વેક્સિનેશનની કામગીરી કરાશે. સૌ પ્રથમ આરોગ્યકર્મીઓને વેક્સિન મળશે. બીજા તબક્કામાં સફાઈકર્મીઓ અને પોલીસકર્મીઓને વેક્સિન અપાશે ત્રીજા તબક્કામાં સિનિયર સિટીઝનને વેક્સિન અપાશે. ભારત સરકાર વેક્સિનના ડોઝ ફાળવશે રાજ્ય સરકાર પાસે તમામ પ્રકારના ડેટા તૈયાર છે કોને કયા સ્થળે વેક્સિન આપવી તે પણ નક્કી થઈ ચૂક્યુ છે, વેક્સિનની કિંમત અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
DCGIએ આજે એલાન કર્યું કે ભારતમાં કોરોના વાયરસની બે વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા પહેલી જનયુઆરીએ કોવિશિલ્ડ અને બીજી તારીખે બાયોટેકની વેક્સિનને સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેને હવે સર્વોચ્ચ સંસ્થાએ પણ કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે.
DCGIએ કહ્યું કે બંને વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે આ તેનો ઉપયોગ ઇમરજન્સી સ્થિતિમાં કરવામાં આવશે. આ બંને વેક્સિનમાં બે બે ડોઝ આપવામાં આવશે.
નોંધનીય છે કે આ બંને વેક્સિનને 2થી 8 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે અને તેનો સાર્વજનિક ઉપયોગ કરી શકાશે. નોંધનીય છે કે DCGIએ આ પહેલા કોરોના વાયરસની વેક્સિન પર સમીક્ષા અને તેના આંકડાઓનું અધ્યયન કર્યું હતું અને તે બાદ મંજૂરી આપવામાં આવી છે.
પીએમ મોદીએ પાઠવી શુભકામના :
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(DCGI)દવા કે ડ્રગને મંજૂરી આપે છે
ઉલ્લેખનીય છે કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(DCGI) જ્યારે કોઇ દવા કે ડ્રગને મંજૂરી આપે છે, ત્યારે કંપનીને આના ઉપયોગની મંજૂરી મળવાની રહે છે. જોકે, DCGIથી આ બન્ને વેક્સિનને ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ ભારતમાં પણ જલ્દીધી કોરોનાનું વેક્સિનેશન શરૂ થઇ જશે. દેશમાં 2 જાન્યુઆરીથી કોરોના વેક્સિનનું ડ્રાઈ રન કરવામાં આવી રહ્યું છે. ડ્રાઈ રન રિઝલ્ટ ઘણુ સકારાત્મક રહ્યું જેને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને એક સમીક્ષા બેઠક પણ કરી હતી.