હાલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા એવી અફવાએ જોર પકડ્યું છે કે, ગુજરાતમાં લૉકડાઉન લાગી શકે છે. પરંતુ આ તમામ અટકળો અને ચર્ચાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે કે, લૉકડાઉનની અફવા છે, રાજ્યમાં ફરી લૉકડાઉન નહીં લાગુ થાય. બીજી તરફ અનલોક 4માં તમામ રાજ્યોને ગૃહમંત્રાલયના સ્પષ્ટ આદેશ અપાયા છે કે, કોઈપણ રાજ્ય ગૃહમંત્રાલયની મંજૂરી વિના લોકડાઉન નહીં લગાવી શકે.
દેશ કે રાજ્યમાં કોઈ પણ પ્રકારનું નથી થવાનું લૉકડાઉન
ગુજરાતમાં હવે ફરી લોકડાઉન નહીં થાયઃ DyCM
કોઇપણ રાજ્ય કેન્દ્રની મંજૂરી વગર લૉકડાઉન જાહેર નહીં કરી શકેઃ ગૃહમંત્રાલય
રાજ્યમાં લૉકડાઉન થવાની વાત ખોટી હોવાની સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. દેશ અનલોક છે ત્યારે લૉકડાઉનની નથી કોઈ ચર્ચા કરવામાં નથી આવી રહી. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દેશમાં કે રાજ્યમાં કોઈ જ પ્રકારનું લૉકડાઉન નથી થવાનું. તેવામાં હવે સોશિયલ મીડિયામાં શરૂ થયેલી ચર્ચાઓ પર નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા લૉકડાઉનની વાતને અફવા ગણાવી છે.
ગુજરાતમાં હવે ફરી લોકડાઉન નહીં થાયઃ DyCM
ગુજરાતમાં લૉકડાઉનની ચર્ચાઓ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં ફરી લૉકડાઉનની વાત માત્ર અફવા છે. હવે લોકડાઉન લાગુ નહીં થાય. હાલ રાજ્યમાં જનજીવન થાળે પડી રહ્યું છે.
અનલોક 4માં તમામ રાજ્યોને ગૃહમંત્રાલયના સ્પષ્ટ આદેશ
ભારતમાં કોરોનાએ પગપેસારો કરતા જ કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. તો કેટલીક વ્યવસ્થાઓ કર્યા બાદ તબક્કાવાર નિયમોને આધિન અનલૉક લાગૂ કરવામાં આવી રહ્યા છે. જોકે દેશમાં કોરોનાના વધતા કહેર વચ્ચે સ્વયંભુ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે. તેવામાં ગૃહમંત્રાલયના આદેશ મુજબ જ કોઇપણ રાજ્ય કેન્દ્રની મંજૂરી વગર લોકડાઉન જાહેર નહીં કરી શકે.