જેમાં તેમણે ખોટુ પ્રમાણપત્ર રજૂ કરીને લાભ લેવો એ ખોટુ હોવાની વાત કરી છે. તેમજ ભૂપેન્દ્રસિંહ ખાંટ વિરુધ્ધ કરવામાં આવેલી ફરિયાદ વિધાનસભાની ચૂંટણી બાદ થઈ હોવાનું તેમણે કહ્યુ હતું.
મહત્વનુ છે કે, ભૂપેન્દ્રસિંહ ખાંટ પર 2010માં કેસ થયો હતો, તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ભુપેન્દ્ર સિંહ ખાંટે ખોટા દસ્તાવેજો રજૂ કરી આદિવાસી બન્યા. તેઓ રાજકીય અને અન્ય લાભ મેળવવા માટે આદિવાસી બન્યા છે. આ મામલે ભાજપાના ઉમેદવાર વિક્રમસિંહ ડીંડોર અને અન્ય બી.ટી.પીના ઉમેદવાર અલ્પેશ ડામોરે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ મામલે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી હતી કે જો પિતા બક્ષીપંચ સમાજમાંથી હોય તો પુત્ર કેવી રીતે આદિવાસી હોઈ શકે છે. આથી રજૂઆત થતા હાઈકોર્ટમાં ખાસ સમિતિ રચવામાં આવી હતી.
ત્યારે હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી ખાસ સમિતિએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. સમિતિએ જાહેર કર્યુ કે, ભૂપેન્દ્રસિંહ ખાંટ આદિવાસી નથી, જેથી તેમને મળેલ આદિવાસી સર્ટિફિકેટ રદ કરવામાં આવ્યું. ત્યારે હવે વિધાનસભામાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.