મહેસાણાના લહોર ગામમાં અનુસૂચિત જાતિના બહિષ્કારનો મામલે વિવાદ થયો હતો. આ ઘટનાને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગામની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેમણે બન્ને વચ્ચે સમાધાન કરાવ્યુ હતું. સમાધાન બાદ લહોર ગામમાં જનજીવન સામાન્ય બન્યું છે. આજ સવારથી ગામની દુકાનો ખુલવાની શરૂઆત થઈ છે.
મહત્વનું છે કે, કડીના લ્હોર ગામમાં દલિત પરિવાર દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આથી ગામના સરપંચે ગ્રામજનોને દલિતોનો બહિષ્કાર કરવાનું કહ્યુ હતું. તેમજ જો ગામનો કોઈ વ્યક્તિ દલિતોને કોઈ વસ્તુ આપશે તો તેની પાસેથી રૂ. 5,000નો દંડ લેવાનું નિર્ણય જાહેર કર્યો હતો. આ ઘટના બાદ ગામમાં વિવાદ શરૂ થયો હતો. જેને લઈને ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આથી પોલીસે દલિત વિસ્તારની મુલાકાત લઈ આગેવાનોને પૂછીને ફરિયાદ લીધી હતી. તેમજ સરપંચ સહિત અન્ય ચાર લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે આ વિવાદ ઉગ્ર થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગામમાં બન્ને પક્ષોના આગેવાનો સાથે બેઠક કરી હતી. બન્ને પક્ષોની રજૂઆત સાંભળીને સમાધાન કરાવ્યું હતું. તેમજ દુકાનો ખોલી દલિતોને અનાજ મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરાવ્યું સમાધાન
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બંને પક્ષો સાથે બેઠક કરી હતી. બંને પક્ષની રજુઆત સાંભળી સમાધાન કરાવ્યુ હતુ. તો દલિતોને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી હતી. તેમજ દુકાનો ખોલી દલિતોને અનાજ મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ હતી. મળતી માહિતી મુજબ નીતિન પટેલે કોંગ્રેસ દ્વારા આ સમગ્ર ઘટનાને પ્રોત્સાહન આપવામાં આવ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો.
પીડિતોને 1 લાખની સહાય
લ્હોર ગામના દલિત પરિવાર સાથે કરાયેલા બહિષ્કારનો મામલે આખરે સરકાર વ્હારે આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે કરી મુલાકાત કરી હતી. પીડિત પરિવારે પણ પોતાની વ્યથા નાયબ મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ગમે તે સમાજ વરઘોડો કાઢી શકે છે. બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું. તેમજ પીડિતોને 1 લાખની સહાય પણ જાહેર કરાઈ છે.