ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નાઈટ કર્ફ્યૂ, માસ્ક સહિતના નિયમોમાં છુટછાટ આપવામાં આવી શકે તેમ છે આ અંગે DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું હતું.
રાત્રિ કર્ફ્યૂ મુદ્દે બોલ્યાં નીતિન પટેલ
'રાત્રિ કર્ફ્યૂ મુદ્દે વિચારણા ચાલી રહી છે'
'તબક્કાવાર વિચારણા બાદ નિર્ણય લેવાશે'
રાત્રિ કર્ફ્યૂ મુદ્દે નીતિન પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાત્રિ કર્ફ્યૂ મુદ્દે વિચારણા ચાલી રહી છે. તબક્કાવાર વિચારણા બાદ નિર્ણય લેવાશે. 4 મનપાઓમાં જરૂરિયાત મુજબ છૂટછાટ અપાશે.
CM Rupani ગોધરામાં ધ્વજ વંદન કર્યા
આજે સમગ્ર દેશ ભારતના 72મા રિપબ્લિક ડેની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે દાહોદમાં આજે રાજ્યકક્ષાની ઉજવણી થઈ. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિતના નેતાઓ દાહોદમાં હાજર રહ્યાં. જ્યાં 750થી વધુ પોલીસકર્મી પરેડમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું હતું. જે બાદ સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તો આ તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરામાં ધ્વજ લહેરાવ્યો હતો. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કમલમ કાર્યાલય પર ધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું.
PM મોદીએ આપી સલામી
72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આ વર્ષે કોરોનાના સંકટના કારણે કેટલાક પ્રતિબંધો સાથે કરવામાં આવી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. તે પૂર્વે PM નરેન્દ્ર મોદી પણ રાજપથ પર પહોંચ્યા હતા. રામનાથ કોવિંદે તિરંગો લહેરાવ્યો હતો. અને રાષ્ટ્રગાનની સાથે ધ્વજને સલામી આપી હતી. અને ત્યાર બાદ પરેડની શરૂઆત કરવામાં આવી. પરેડમાં સૌપ્રથમ હેલિકોપ્ટરોએ દર્શકો પર ફુલ વરસાવ્યા હતા. ત્યાર બાદ રાજપથ પર ભીષ્મ ટેન્ક અને બ્રહ્મોસ મિસાઈલની પરેડ કરવામાં આવી ભારતે પોતાની શક્તિને વિશ્વને દર્શાવી છે.. ત્યાર બાદ રાજપથ પર જવાનોએ પણ પોતાનો દમ બતાવ્યો. 140 વાયુ રક્ષા રેજિમેન્ટના કેપ્ટન પ્રીતિ ચૌધરીએ કમાન સંભાળી હતી. સૌથી પહેલા જાટ રેજિમેન્ટની પરેડ હતી. જેમાં ગઢવાલ રેજિમેન્ટના જવાનોએ જજ્બો દર્શાવ્યો હતો.. ત્યાર બાદ મહાર રેજિમેન્ટે પણ રાજપથ પર પરેડ કરી. ત્યાર બાદ જમ્મૂ એન્ડ કશ્મીર રાઈફલ્સ રેજિમેન્ટ પણ સામેલ થઈ હતી.