અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે લવ-કુશ પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં કડવા-લેઉવા અને રાજકીય પક્ષોના ભેદભાવ ભૂલીને તમામ પાટીદાર નેતાઓ એક મંચ પર સાથે જોવા મળ્યા હતા. મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, નરહરિ અમીન, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત અન્ય નેતાઓ પહોંચ્યા હતા. જ્યાં નીતિન પટેલે ખેડૂતોને લઇને જાહેરાત કરી હતી.
સિંચાઈનું પાણી આપવા નીતિન પટેલે કરી જાહેરાત
નર્મદાનુ પાણી ખેડૂતોને આપવા માટે સરકારે કર્યો નિર્ણય
ખેડૂતોને જરૂર હોય એટલુ પાણી અપાશેઃ DyCM
શિયાળુ પાક માટે સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરાઈ છે. સરકાર દ્વારા શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરાઈ છે. આ મામલે નીતિન પટેલે જાહેરાત કરી છે કે, સરદાર સરોવર ડેમમાં પાણી હોવાથી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. તંત્ર દ્વારા કડી, કલોલ, સાણંદ, પાટડી, વઢવાણ, લખતર તાલુકાના ખેડૂતોને પાણી અપાશે. સતત 70 દિવસ સુધી ખેડૂતોને નર્મદાનું પાણી આપવા માટે સરકાર દ્વારા નિર્ણય કરાયો છે.
સરકારે જાહેરાત કરીને પડીકું વાળીને મૂકી દેવું જોઈએઃ ધાનાણી
ખેડૂતો માટે રૂપાણી સરકારે નવી જાહેરાત કરી છે કે શિયાળુ પાક માટે ખેડૂતોને જરૂરીયાત મુજબ પાણી આપવામાં આવશે. જેને લઈને વિપક્ષ નેતા પરેશ ધાણાનીએ કહ્યું હતું કે સરકારે જાહેરાત કરીને પડીકું વાળીને મૂકી દેવું જોઈએ. સરકાર જાહેરાત કરે છે પણ અમલ થતા નથી તે બાબતનું પણ સરકારે ધ્યાન રાખવું જોઈએ જેથી ખેડૂતો સાથે અન્યાય ન થાય.