જૂનાગઢ: નાયબ મુખ્યમંત્રીએ જૂનાગઢ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું. દિલ્હીથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકસાથે 65 જગ્યાઓ પર રિમોટથી ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટથી જુનાગઢના 77હજાર લોકોને હવે ગેસ કનેક્શન મળી રહેશે. ટૂંક સમયમાં યાત્રાધામ જૂનાગઢમાં પણ સીએનજીથી વાહનો ચાલતા થશે. જૂનાગઢ જિલ્લામાં 45 સીએનજી સ્ટેશન ઉભા કરશે. હવે મહિલાઓને ધુમાડો અને ગેસ બાટલાની ઝણઝટમાંથી મુક્તિ મળશે. પ્રધાનમંત્રીએ ગુજરાતના આઠ સહિત દેશના 65 શહેરોમાં એક સાથે આ પ્રોજેક્ટ શરૂ કરાવવામાં આવ્યો છે.
દેશના વડાપ્રધાને જોયેલું સપનુ છે કે મહિલાઓને ચૂલા અને ઇંધણથી બળતી આંખો અને ધુમાડા રહિત જીવન જીવવા માટે ઘરે ઘરે ગેસ કનેક્શન આપવાની વાત થઇ છે. હવે જૂનાગઢમાં પણ ઘરે ઘરે ગેસની પાઈપલાન આપવામાં આવશે અને ટૂંક સમયમાં યાત્રાધામ જૂનાગઢમાં પણ સીએનજીથી વાહનો ચાલતા થશે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે બે વર્ષની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ થશે અને ટોરેન્ટ કંપનીનું ટેન્ડર પાસ થયું છે. જેથી ટૂંક સમયમાં કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. દેશના વડાપ્રધાને ગુજરાતના આઠ સહિત દેશના 65 શહેરોમાં એક સાથે આ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો છે. જેનું લાઈવ પ્રસારણ પણ લોકોએ નિહાળયુ હતું.