આજ રોજ(23 ઓક્ટોબર) પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અદ્યતન સુવિધાસજ્જ નવા સર્કિટ હાઉસ(અતિથિગૃહ)નું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન અંબાજી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત
લાખણી-થરાદ પર ફોરલેન હાઈવે બનાવાશે
18 કિલોમીટરનો ફોરલેન હાઈવે બનાવાશે
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનો દિન-પ્રતિદિન ઝડપથી વિકાસ થઇ રહ્યો છે અને યાત્રાળુઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે અતિથિગૃહ અંબાજી યાત્રાધામનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે કરાયું હતું. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 15 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ નવીન અતિથિગૃહ અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો થયો છે. ત્યારે આ દરમિયાન અંબાજીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, લાખણી-થરાદ 18 કિલોમીટરનો ફોરલેન હાઈવે બનાવાશે. મહત્વનું છે કે, જિલ્લા સાંસદ પરબત પટેલે અગાઉ આ અંગે માંગ કરી હતી. નીતિન પટેલની જાહેરાત બાદ સ્થાનિક નેતાઓ અને લોકોએ આભાર માન્યો હતો.