આજે ભાવનગરમાં CM રૂપાણી અને DYCM નીતિન પટેલને પત્રકારોએ રાજસ્થાનથી ભાજપના ધારાસભ્યોના ગુજરાતમાં ધામા વિશે પૂછતા તેમણે ગજબ જવાબ આપ્યા હતા જાણો શું કહ્યું હતુ Cm રૂપાણીએ અને નીતિન પટેલે?
CM અને DyCMના આ પ્રકારના જવાબથી હાસ્યનું મોજુ ફરી વળ્યું
Cm રૂપાણી આજે ભાવનગર અને જામનગરમાં રાજ્યમાં કોરોનાની વકરી રહેલી સ્થિતિને પગલે મળવા ગયા હતા અને ત્યાં તેમણે પત્રકાર પરિષદ પણ સંબોધી હતી ત્યારે પત્રકારો દ્વારા હાલ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકિય તોફાનને પગલે રાજસ્થાનના ભાજપના ધારાસભ્યો હાલ અમદાવાદમાં ધામાં નાંખ્યા છે જેને લઇને પુછાયેલા સવાલ પર CMએે મૌન સેવ્યું હતું. અત્યારે એ વિષય નથી એમ કહીને ચાલતી પકડી હતી.
DyCM નીતિન પટેલે કરી ટીખળ
જ્યારે પત્રકારોએ સી.આર.પાટીલને પ્રશ્ન પૂછવાની વાત કરી તો નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમની લાક્ષણીક અદામાં જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, કહ્યું સી.આર ભાઇને શું ખબર હોય?