ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ મનરેગા જોબકાર્ડમાં કૌભાંડ થયા હોવાનો સૌથી મોટો આક્ષેપ લગાવ્યો હતો જે બાદ હવે સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
જોબકાર્ડમાં કૌભાંડ મામલે હવે ઝડપી તપાસ કરવા માટે DDOએ કમિટી બનાવી છે. સમગ્ર મામલે 7 દિવસમાં તપાસ પુરી કરવામાં આવશે અને જે ગુનેગાર હશે તેની સામે કરાવાના આદેશ અપાયા છે. કૌભાંડની ગંભીરતાને જોતા હવે નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીને આખા મામલાની તપાસ સોંપાઈ છે.
જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે કર્યા છે કૌભાંડના આક્ષેપ
અમીરગઢ ના બાલૂન્દ્રા ગામે મનરેગા કૌભાંડ ને લઇ જીગ્નેશ મેવાણી તેમજ હાર્દિક પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.જેમાં મનરેગા ના કામમાં કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.ત્યારે આ સમગ્ર મામલે બનાસકાંઠા વહીવટી તંત્રની ઊંઘ હરામ થઇ છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પરબત પટેલનો વાર
જ્યારે આ કૌભાંડ મામલે જિલ્લા સાંસદ પરબત પટેલ પણ ગઈકાલે મીડિયા સામે આવ્યા હતા.પરબત પટેલ જણાવ્યું હતું કે 20-21ના વર્ષમાં જિલ્લામાં 64 કરોડનું મનરેગાનું આયોજન છે. મનરેગા યોજનાને જીગ્નેશ મેવાણીએ ખુદ વખાણી હતી. જ્યારે હાલ અમીરગઢ ના ધારાસભ્ય કોંગ્રેસના કાંતિભાઈ ખરાડી છે. પણ તેમને મનરેગા યોજના વિશે કયારેય કોઈ વાત નથી કરી. પરબત ભાઈ એ વધુ માં જણાવ્યું હતું કે બળુન્દ્રા ગ્રુપ ગ્રામપંચાયતમાં વર્ષે 2014 થી 2020ના વર્ષમાં 1 કરોડ 75 લાખના કામ થયા છે તો કરોડોનો ભ્રષ્ટાચાર કેવી રીતે થાય. બાલુન્દ્રામાં આ વર્ષે 17,76,000 રૂપિયાના કામ બાલુન્દ્રા ગામમાં મનરેગાના છે.