નીતિન પટેલે જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં તબીબોને વિશેષ ભથ્થું આપવા છતાં કોઈ તબીબ સેવા આપવા તૈયાર નથી.
આદિવાસી વિસ્તારોમાં સેવા આપવા ડૉક્ટરો નથી તૈયાર
આદિવાસી વિસ્તારમાં તબીબોને વિશેષ ભથ્થું મળે છે
આદિવાસી વિસ્તારમાં જવા કોઈ પણ સમાજના તબીબ તૈયાર
વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ડૉકટરો મુદ્દે નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં તબીબોને વિશેષ ભથ્થું આપવા છતાં કોઈ તબીબ સેવા આપવા તૈયાર નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ગામડાની શાળામાં ભણીને તબીબ બનેલા લોકો પણ ગામડામાં જવા તૈયાર નથી.
મહત્વનું છે કે, ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં સેવા નહીં આપવાનો ડૉક્ટરોનો ટ્રેંડ હજુ પણ યથાવત્ છે. 2020માં ગામડામાં સેવા આપવાના બદલે 16 કરોડ 41 લાખ રૂપિયા ડૉક્ટરોએ ભર્યા છે. સરકારે બોંડની રકમ વધારીને 40 લાખ રૂપિયા કરી છતાં ગામડામાં ડૉક્ટર જતાં નથી. ગામડામાં સેવા આપવાના બદલે ડૉક્ટર ડિગ્રીધારકો 40 લાખ રૂપિયા ચૂકવે છે. ડિગ્રી મેળવીને ગામડામાં સેવા આપવાના બદલે રૂપિયા ભરીને છૂટી જાય છે.
ડૉક્ટરોને શા માટે ગામડાઓમાં જવું પડે છે.
મહત્વનું છે કે, લાખો રૂપિયાની ફી અને વર્ષો સુધીના અભ્યાસ બાદ કોઈપણ વ્યક્તિ શહેરની વચ્ચે રહેવા માગતો હોય છે. તો બીજી તરફ સરકારને પણ તમામ ગામડાઓમાં આરોગ્યની સુવિધાને જાળવી રાખવી પડે છે. જેના માટે દૂર ગામડાઓમાં ડૉક્ટરોની જરૂર પડે છે. પરંતુ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તબીબોને ગામડે જવું નથી. જેથી સરકારે ફરજીયાત નિયમ બનાવ્યો છે.
ડૉક્ટર બન્યા પછી ફરજિયાત 3 વર્ષ ગામડાઓમાં પસાર કરવા પડે તેવા બોન્ડ સહીં કરે છે. ત્યારે ગામડામાં ડોક્ટર્સ જવા તૈયાર ન હોવાના કારણે ફરજિયાત સેવા 3 વર્ષથી ઘટાડી 1 વર્ષ કરી છે. 1 વર્ષની સેવા ફરજિયાત કર્યા છતાં ડૉક્ટર ગામડામાં નોકરી કરવાના બદલે પૈસા ભરી દે છે. ગુજરાતના શહેરોમાં મેડિકલ પ્રેક્ટિસમાં ધીકતો ધંધો હોવાના કારણે ગામડામાં ડોક્ટર્સ મળતા નથી. 2019માં સરકારે ગામડામાં નહી ગયેલા ડૉક્ટર પાસેથી 19 કરોડ રૂપિયા વસૂલ્યા હતા