નીતિન પટેલે અમદાવાદ ખાતે યોજાયેલા લવકુશ પાટીદાર ભાવાત્મક મહાસંમેલનમાં કહ્યું હતું કે, મને કડવા પાટીદાર હોવાનો ફાયદો થયો છે. "હું કડક થઈ બોલું ત્યારે અમારા નેતાઓ બધું સંભાળી લે છે." "કડવા પાટીદાર હોવાથી કડવું બોલવા માટે ટેવાયો છુ." કડવું બોલવા અંગે નીતિન પટેલે કહ્યું હતું કે, હું હંમેશા સત્ય બોલવા માટે ટેવાયેલો છું. દવાઓ કડવી હોય પણ રોગ મુક્ત કરે છે. ક્યારેક મારુ બોલેલું સરકાર કે સમાજમાં કડવું લાગતું હોય છે. હું કડવું બોલું ત્યારે તેનું લાંબા ગાળે ફાયદો થતો હોય છે.