ગાંધીનગરઃ રાજ્યમાં દેશવ્યાપી તબીબોની હડતાલ ચાલી રહી છે. ત્યારે રાજ્યના નાયાબ મુખ્યમંત્રી નિતીન પટેલે પ્રતિક્રીયા આપી છે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે NMC બીલના વિરૂદ્ધ ડોક્ટરોની હડતાળ ચાલી રહી છે. તે અંગે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસે રજૂઆત કરશે. અને ડોક્ટરોની માંગણીને સંતોષવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવશે તેવું આશ્વાશન નાયાબ મુખ્યમંત્રીએ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આજે NMC બિલના વિરોધમાં ડોક્ટરોની હડતાળ ચાલી રહી છે. ઈન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા આજે દેશવ્યાપી વિરોધ કરવામાં આવી રહી છે. હડતાળને પગલે દરેક દવાખાના અને લેબોરેટરી તેમજ રોજિંદી સેવાઓ બંધ રાખવામાં આવ્યા છે.
આ હડતાળમાં ગુજરાતના 27 હજારથી વધુ ડૉક્ટર્સ જોડાયા છે. હડતાળને પગલે દેશમાં ઈમરજન્સી સેવા સિવાયની તમામ મેડિકલ સેવાઓ બંધ રહેશે. આ હડતાળમાં અમદાવાદ સુરત વડોદરા સહિતના ડૉક્ટર્સ જોડાયા છે.