ગુજરાતમાં રૂા. 325 કરોડને ખર્ચે નવી 5 મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. આ અંગે DY CM નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી. તેમણે પત્રકાર પરિષદમાં કઈ કઈ જગ્યાએ મેડિકલ કોલેજ બનશે તે વીશે માહિતી આપી હતી. તેમણે Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY) દ્વારા ગુજરાતમાં 5 લાખ લોકોને વીમાકવર અંગે પણ ઘોષણા કરી હતી.
ગુજરાતમાં 5 જિલ્લાઓમાં બનશે મેડિકલ કોલેજ
DyCM નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત
દેશમાં 75 જિલ્લામાં મેડિકલ કોલેજ બનશે
ડેપ્યુટી સીએમ નીતિન પટેલની પત્રકાર પરિષદ યોજીને ગુજરાતના મેડિકલ સ્ટુડેન્ટ માટે ખુશખબર આપ્યા હતા. ગુજરાતમાં નવી મેડિકલ કોલેજો અંગે મહત્વની જાહેરાત કરી હતી. એટલું જ નહી પરંતુ તેમને મળનાર વીમા અંગે પણ મહત્વની માહિતી આપી હતા. દેશમાં 5 જિલ્લામાં મેડિકલ કોલેજ બનશે જ્યારે દેશમાં 75 જિલ્લાઓમાં મેડિકલ કોલેજ બનાવવામાં આવશે.
મેડિકલ કોલેજના નિર્માણ માટે કુલ 325 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
રાજ્યમાં રૂા. 325 કરોડને ખર્ચે મેડિકલ કોલેજનું નિર્માણ થશે જેમાંથી કેન્દ્ર સરકાર 195 કરોડની મદદ કરશે જ્યારે રાજ્ય સરકાર 130 કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવશે. કરોડોના ખર્ચે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોલેજ બનાવવામાં આવશે.
5માંથી 3 મેડિકલ કોલેજોનું કામ ઝડપથી શરૂ કરાશે.
5માંથી 3 કોલેજનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. જેમાં નીચેની વિસ્તારમાં કોલેજનું પ્રાથમિક તબક્કાનું કામ શરૂ કરી દેવામાં આવશે.
પોરબંદરમાં મેડિકલ કોલેજ બનશે
રાજપીપળામાં મેડિકલ કોલેજ બનશે
નવસારી જિલ્લામાં મેડિકલ કોલેજ બનશે
ગુજરાતમાં 5 લાખ નાગરિકોને મળશે યોજનાનો લાભ
દેશમાં 50 કરોડ નાગરિકોને PMJAY યોજનાનો લાભ મળે છે. જેમાંથી ગુજરાતમાં 5 લાખ નાગરિકોને PMJAY યોજનાનો લાભ મળે છે. 15 ઓગસ્ટ 2018 દેશના વડાપ્રધાનએ Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY) ની ઘોષણા કરી હતી. આ યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે.
50 કરોડ લોકોને મળશે વીમો
આ યોજના હેઠળ દેશના લગભગ 10 કરોડ પરિવાર એટલે કે લગભગ 50 કરોડ લોકોને દર વર્ષે 5 લાખનો સ્વાસ્થ્ય વીમો મળશે. આ યોજના નો લાભ અંદાજીત 8 કરોડ ગ્રામિણ પરિવારો અને 2.4 કરોડ શહેરી પરિવારો ને મળશે. આવી રીતે દેશની લગભગ 40 ટકા જનસંખ્યા ને સ્વાસ્થ્ય વીમો મળશે. આ યોજના માં લાભાર્થી પરિવારો ને યોજના સાથે જોડાયેલી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો મા તદન મફત સારવાર મળશે.
કઈ કઈ બિમારી વીમામાં કવર કરવામાં આવશે?
આયુષ્માન ભારત યોજનામાં દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો લાભ વિનામૂલ્યે મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. ગરીબ પરિવારમાં લગ્ન પછી આવેલી મહિલા તેમજ નવજાત બાળકને પણ યોજનાનો લાભ મળશે.