ખેડૂતોને દિવસે વીજળી આપવાને લઇ નીતિન પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું. નીતિન પટેલે કહ્યું કે હું ખેડૂતોની લાગણી ઊર્જામંત્રીને પહોંચાડીશ. વીજળીનું વિતરણ ગ્રીડ આધારીત હોય છે અને તબક્કાવાર વીજળી ખેડૂતોને અપાય છે. ઠંડીમાં રાત્રે પિયત કરવું અઘરું હોય છે. એટલે હું ઉર્જામંત્રીને ખેડૂતોની વાત પહોંચાડીશ.