ગાંધીનગર: સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં અનારાધાર વરસાદ વરસ્યો છે. જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે જે વિસ્તારોમાં વધુ વરસાદ વરસ્યો છે ત્યાં રાહત કામગીરી ચાલુ છે. અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
આ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલું છે. તો જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તેમની માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નીતિન પટેલે વધુ કહ્યું કે રાજ્યના તમામ મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોની કામગીરીમાં જોડાયેલા છે.
ઉલ્લેખનીય છે કે તો રાજ્યમાં અનેક જિલ્લા હજુ પણ વરસાદથી વંચિત છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં પહેલા પાણી ન હોવાથી વિદ્યુત પ્રોજેક્ટ બંધ હતા. પરંતુ ડેમમાં હવે પાણીની આવક વધતા વિદ્યુત પ્રોજેક્ટ ફરી ચાલુ કરી દેવાયા છે. તો ડેમમાંથી 5 હજાર ક્યુસેક પાણી નહેરમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી બનાસકાંઠા જિલ્લામાં પહોંચે છે.