ગુજરાતમાં હાલ પેટાચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણી જીતવાને લઇને એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે ત્યારે બંને પક્ષ એકબીજા પર નિશાન તાકવાનું પણ ચૂકતાં નથી. ગઇકાલે રાજ્યના ડે. સીએમ નીતિન પટેલ પર કરજણમાં ચપ્પલ ફેંકવા પર સુરત ખાતે કોંગ્રેસ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કટાક્ષ કરતાં કહ્યું કે ચપ્પલથી નહીં મતના શાસ્ત્રતી જવાબ આપો.
નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાનો મામલે ધાનાણીનો કટાક્ષ
ચપ્પલ ફેંકવાની નવી ફેશન આવી છે
ચપ્પલથી નહીં મતથી જવાબ આપો
કરજણમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાના મામલે કોંગ્રેસના નેતાઓએ કટાક્ષ કર્યો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનણીએ કહ્યું કે ચપ્પલ ફેંકવાની નવી ફેશન આવી છે. ચપ્પલ ફેંકી નહીં પરંતુ મતથી જવાબ આપો.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ચૂંટણી આવતા લુખ્ખા તત્વોને જેલમાંથી બહાર કાઢી તેમનો ચૂંટણી જીતવા ઉપયોગ કરાય છે. જ્યારે આ સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કટાક્ષ કરતા કહ્યું કે તમારી જ પાર્ટીમાં અસંતોષ છે, તેમણે જ આ કૃત્ય કર્યું હશે.