દેશમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. કોરોના વાયરસને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કોરોના વાયરસને લઇ સરકાર સક્રિય છે. કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ. CM સાથે બેઠક કરી અને ભારત સરકારની ગાઇડલાઇન અંગે ચર્ચા કરીશું.
કોરોનાને લઇ સરકાર સક્રિય છે
કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ
ગુજરાતમાં એકપણ કેસ પોઝિટિવ નથી
કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે કામ કરી રહ્યાં છીએ. ગુજરાતમાં એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી. એરપોર્ટ પર સ્ક્રીનિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જરૂર પડશે તો વધુ આયસોલેશન વોર્ડ શરૂ કરાશે. કોરોના વાયરસ મુદ્દે નાગરિકો પણ જાગૃત થયા છે.
કોરોના સામે લડવાની દવા શોધવા સંશોધકો કરી રહ્યા છે મથામણ
એકબાજુ કોરોના વાયરસના દુનિયાભરમાં કેસ વધી રહ્યાં છે. તો બીજી તરફ સંસોધકોનું માનવું છે કે, કોરોના વાયરસની ચોક્કસ દવાના સંસોધન માટે એકથી દોઢ વર્ષનો સમય લાગી જાય તેમ છે. આ બધા વચ્ચે એક સારા સમાચાર એ છે. કે, HIV માટે વપરાતી દવા રિટોનાવિર અને લોપીનાવિર આ બે દવા કોરોના વાયરસમાં અસરકારક નિવડે છે. જયપુરમાં કોરોના વાયરસ સંક્રમિત એક દંપતી પર આ દવાનો પ્રયોગ તેના પરવાનગી બાદ કરાયો હતો અને આ દંપતી આ દવાથી 14 દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયું હતું.
કોરોના વાયરસના લક્ષણો
વારંવાર તાવ આવવો અથવા ઉંચા તાપમાને તાવ આવવો
તાવ પછી લાંબા સમય સુધી ઉધરસ રહેવી
માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ
આ રોગના લક્ષણોમાાં ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાાં તકલીફ વગેરે જોવા મળે છે
કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે શું ધ્યાન રાખવું
રોગના અટકાવ અને શનયાંત્રણ માટે સીઝનલ ફ્લુની જેમ દદીને આઈસોલેશનમાાં રાખવો
પી.પી.ઇ. કીટનો ઉપયોગ કરવો
વારંવાર સાબુથી હાથ ધોવા
હસ્ટતધૂનનના બદલે નમસ્ટકારથી અશભવાદન કરવું
ભીડભાડ વાળી જગ્યાએ ન જવુાં વગેરે જેવી તકેદારી રાખવી
વય પ્રમાણે ગરમ પાણી પીવું
તળેલું અને મસાલેદાર ખાવાનું ટાળો
ગળાને શુષ્ક ન પડવા દો
કોરોના વાયરસની સામાન્ય માહિતી
રોગનો ચેપ ચેપી સી-ફૂડ ખાવાના કારણે થતો હોવાનુાં મનાય છે
રોગનો ફેલાવો મનુષ્ય થી મનુષ્યમાાં થવાની ખુબજ ઓછી શક્યતા રહેલી છે
આ રોગની કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા કે વેક્સીન ઉપલબ્ધ નથી
આ રોગથી બિન જરૂરી ગભરાવવાની જરૂર નથી પણ જરૂરી સાવચેતી રાખવી