સ્ટાર ખેલાડી ડ્વેન બ્રાવોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.
T20 World Cup ની વચ્ચે બ્રાવોએ લીધું સંન્યાસ
આવતીકાલે કરિયરની છેલ્લી મેચ
કરિયરને યાદ કરીને ભાવુક થયો સ્ટાર ખેલાડી
સુપરસ્ટાર ખેલાડીનો સંન્યાસ
વેસ્ટઈન્ડિઝનાં સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ચોથી નવેમ્બરે મળેલી હાર બાદ બ્રાવોએ પોતાના કારીયરનો સૌથી મોટો નિર્ણય લીધો હતો.
“The time has come.”
Winning two #T20WorldCup titles in an illustrious career for the #WestIndies, Dwayne Bravo has announced his retirement from international cricket.
હાર બાદ તૂટી ગયું છે દિલ
નોંધનીય છે કે બ્રાવોએ પહેલા પણ સંન્યાસ લીધું હતું જોકે બાદમાં ફરીથી મેદાન પર વાપસી કરી હતી. ગુરુવારે શ્રીલંકા સામેની મેચમા હાર બાદ બ્રાવોનું દિલ તૂટી ગયું અને સંન્યાસની જાહેરાત કરી નાંખી, નોંધનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ ટીમ હવે સેમીફાઇનલની રેસમાંથી બહાર નીકળી ગઈ છે.
ઓસ્ટ્રેલીયા સામે છેલ્લી મેચ
પોતાના 17 વર્ષના કરિયરને અલવિદા કહેતા પહેલા બ્રાવો ઈમોશનલ થઈ ગયા હતા, તેમણે કહ્યું કે મને લાગે છે કે હવે સમય આવી ગયો છે, મારુ કરિયર ખૂબ સારું રહ્યું, 18 વર્ષ સુધી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં રહ્યો અને ઘણા તડકા છાંયડા મેં જોયા છે. હવે જ્યારે હું પાછો વળીને જોઉ છું ત્યારે આટલા લાંબા સમયની ફિલ્ડ અને લોકોનો પ્રેમ દેખાય છે, હું તમારા બધાનો આભારી છું. ડ્વેન બ્રાવોએ કહ્યું કે ICCમાં ત્રણ ટ્રોફી જીતવા પર મને ખૂબ જ ગર્વ છે, મારા સાથી અને કેપ્ટન ડેરેન સમીનાં નેતૃત્વમાં જ અમે બે ટ્રોફી જીત્યા છીએ.
અચાનક કર્યું મોટું એલાન
જોકે બ્રાવોએ સ્પષ્ટ નથી કર્યું કે તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે કે મહી , જોકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 6 નવેમ્બરે ઓસ્ટ્રેલીયા સામેની મેચ તેમની અંતિમ મેચ હશે તેવી જાહેરાત કરવામાં આવી છે. બ્રાવો 2012 અને 2016 વેસ્ટ ઈન્ડિઝ ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો. તેણે પોતાની ટીમ માટે 40 ટેસ્ટ ક્રિકેટ મેચોની 71 ઇનિંગ્સમાં 31.4ની એવરેજથી 2200 રન બનાવ્યા છે. આ સિવાય પોતાની ટીમ માટે ODIમાં 164 મેચ રમીને 141 ઇનિંગ્સમાં 25.4ની એવરેજથી 2968 રન બનાવ્યા છે અને 90 T20I ક્રિકેટ મેચોની 73 ઇનિંગ્સમાં 22.2ની એવરેજથી 1245 રન બનાવ્યા છે.