રામનવમીના તહેવારની રાજ્યભરમાં ધામધુમથી ઉજવણી થશે ત્યારે દ્વારકામાં પણ રામનવમીના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે.
રામનવમીની દ્વારકા મંદિરમાં ખાસ તૈયારી
દ્વારકા મંદિર દર્શનના સમયમાં ફેરફાર
દ્વારકા મંદિરના દર્શનનો કાર્યક્રમ જાહેર
ભક્તોના સંભવિત ધસારાને લઇને દ્વારકા વહીવટદાર કચેરી દ્વારા દ્વારકા જગતમંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
દ્વારકામાં રામનવમીના પર દર્શનનો સમય
રામનવમીના દિવસે દ્વારકા જગતમંદિરમાં સવારે 6.30 કલાકે મંગળા આરતી થશે.બાદમાં સવારે 8 થી 9 દરમિયાન દર્શન બંધ રહેશે. સવારે 9 થી 10:30 દરમિયાન શૃંગાર દર્શન થશે,બાદમાં સવારે 10:30 થી 12:00 દરમિયાન દર્શન બંધ રહેશે. બપોરે 12:00 કલાકે આરતી અને 12 થી 1:30 દરમિયાન ઉત્સવ દર્શન કરી શકાશે.ત્યારબાદ બપોરે 1:30 થી 5 સુધી મંદિરના દર્શન બંધ રહેશે અને સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ જગતમંદિરમાં ભક્તો દર્શન કરી શકશે.
દ્વારકામાં તા 10 થી 12 એપ્રિલ સુધી યોજાશે રૂક્ષ્મણી વિવાહ..
ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં 10થી 12 એપ્રિલ દરમિયાન રૂક્ષ્મણી વિવાહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્રિદિવસીય ચાલનારા રૂક્ષ્મણી વિવાહની ભવ્ય ઉજવણી થશે. જેમાં
તા 11 ના 56 ભોગ મનોરથ યોજાશે જ્યારે તા 12 ના સાંજે 7 વાગ્યે રૂક્ષ્મણી મંદિર ખાતે વિવાહનો પ્રસંગ યોજાશે. તો આ આયોજન દરમિયાન વહીવટી તંત્ર દ્વારા પણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની વ્યવસ્થા કરવામાં આવી છે.