રાજ્યમાં કોરોના સંકટ ઘેરાઇ રહ્યું છે. અનલોક બાદ ચિંતાજનક રીતે કોરોના વાયરસના કેસ નોંધાઇ રહ્યા છે તો તહેવારોની પણ મોસમ જામી છે. આ સાથે જ બીજી તરફ જોવા જઇએ તે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર બંધ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર બંધ
કોરોનાના સંક્રમણને લઈ દ્વારકા તંત્રનો મોટો નિર્ણય
જન્માષ્ટમી પર્વ પર અંદાજે દોઢ લાખ યાત્રિકો લે છે મુલાકાત
ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં જન્માષ્ટમી પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર બંધ રાખવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને લઈ દ્વારકા તંત્રએ આ મોટો નિર્ણય લીધો છે.
દ્વારકા જિલ્લા કલેક્ટરે લીધો નિર્ણય
નોંધનીય છે કે, જન્માષ્ટમી પર્વ પર અંદાજે દોઢ લાખ યાત્રિકો આ મંદિરની મુલાકાત લે છે. સાવચેતીના ભાગરૂપે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 10થી 13 ઓગષ્ટ સુધી યાત્રિકો માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે. દ્વારકા જિલ્લા કલેક્ટરે મંદિર બંધ રાખવા હુકમ કર્યો છે.
ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર સાતમ આઠમનો તહેવાર આવતો હોવાથી કોરોનાની મહામારી ન ફેલાય તે માટે મંદિરના દ્વાર બંધ કરાયા છે. હાલ ગુજરાતમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે વકરી રહી છે ત્યારે વિરપુર જલારામ મંદિરનો આ નિર્ણય આવકારવાદાયક છે.
8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જન્માષ્ટમીની રજામાં યાત્રાળું વધુ સંખ્યામાં મંદિરમાં આવી શકે છે. આ શક્યતાને જોતો કોરોના વાયરસને કારણે 8થી 12 ઓગસ્ટ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.