દ્વારકા જિલ્લાને ચાર ચાંદ લગાવતા શિવરાજપુર બીચને ગુજરાતના બે સહિત ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે પરંતુ કોરોના કાળમાં આ બીચ યાત્રિકો માટે બંધ રાખવામાં આવ્યો હતો. જોકે હાલમાં તંત્ર દ્વારા આ બીચ પર આંશિક છૂટછાટ આપવામાં આવતા વાદળી ચાદર ઓઢેલા આ બીચ પર ફરી લોકોની અવરજવર શરૂ થતાં અહીં અધભૂત પ્રાકૃતિક સૌંદર્યની લોકો મજા પરિવાર સાથે માણી રહ્યા છે.
રોમાંચિત કરનારો આ દરિયા કિનારો ખૂબ સ્વચ્છ અને ખુબ શાંત
હાલમાં તંત્ર દ્વારા આ બીચ પર આંશિક છૂટછાટ આપવામાં આવી
ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો જેમાં ગુજરાતના 2
દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે આવેલા બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળતા યાત્રાધામ દ્વારકા પ્રવાસન ક્ષેત્રને વિકાસની નવી ગતિ મળી છે. હાલમાં તહેવારો સમયે પ્રવાસીઓ માટે આ બીચ પર અવરજવરની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે કુદરતના અદભૂત સૌંદર્યનો નજારો જોવા હાલ શિવરાજપુર બીચ ખાતે લોકો આવી રહ્યા છે. અહીંની સુંદરતા જોઈને જ આંખો ચાર થઈ જાય છે, બ્લુ કલરના પાણી સાથે ખૂબ સ્વચ્છ પાણી ધરાવતો શાંત દરિયા કિનારો પ્રવાસીઓને નહાવા માટેનું આમંત્રણ આપે છે. આંખોને શીતળતા બક્ષતો આ બ્લુ દરિયા કિનારો ધરાવતો શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે ખૂબ સુંદર નજારો આપતું સ્થળ બની રહ્યો છે.
ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો જેમાં ગુજરાતના 2
ભારતે દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે, ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે, જેમાંથી 2 બીચ ગુજરાતના છે. એક દિવનો ઘોઘલા બીચ અને બીજો દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. દુનિયાના બ્લુ ફ્લેગ બીચો ધરવતા દેશોમાં ભારતે 8 બ્લુ ફ્લેગ બીચ સાથે સ્થાન મેળવી લીધું છે.
આ બ્લુ ફ્લેગ સર્ટીફીકેશન છે શું અને કેવી રીતે મળે આ સર્ટીફીકેશન?
ડેંમાર્કમાં કાર્યરત સંસ્થા દ્વારા આ બ્લુ ફ્લેગ દરજ્જો આપવામાં આવે છે, બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સહુથી સ્વચ્છ બીચ તરીકે માનવામાં આવે છે. બ્લુ ફ્લેગ એ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઇકો લેબલ છે. બ્લુ ફ્લેગ લેબલ મેળવવા પર્યાવરણીય, શૈક્ષણિક, સુરક્ષા અને સુગમતાના અનેક કડક માપદંડોમાંથી પસાર થવું પડે છે. ફાઉન્ડેશન ફોર એન્વાયરોંમેટલ એજ્યુકેશન નામની બિન સરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા આ સર્ટીફીકેશન આપવામાં આવે છે. ભારતે આ દિશામાં આગળ પગલું ભરતા બ્લુ ફ્લેગ લેબલ જેવા પોતાના ઇકો લેબલ બીમ્સ પણ તૈયાર કર્યા છે. બીમ્સનું આખું નામ છે બીચ એનવાયરોંમેન્ટલ એન્ડ એસ્થેટિક્સ મેનેજમેન્ટ સર્વિસીઝ.
પ્રવાસીઓ નહાવાની પણ મજા ભય વિના માણી શકે, સ્કૂબા ડ્રાઇવની મજા પણ માણી શકાશે
દ્વારકા તાલુકાના શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળતા હવે બહારના પ્રવાસીઓ માટે આ એક ટુરિસ્ટ પ્લેસ બની રહ્યું છે. અહીંનો દરિયા કિનારો કુદરતની આપેલી અદભૂત સુંદરતા સાથેનો છે. અહીં બીચ પર બ્લુ કલરનું પાણી છે જે ખુબ જ આહલાદક. રોમાંચિત કરનારો આ દરિયા કિનારો ખૂબ સ્વચ્છ અને ખુબ શાંત છે. પ્રવાસીઓ નહાવાની પણ મજા ભય વિના માણી શકે છે. દરિયાના નીર એટલા સુંદર અને સ્વચ્છ છે કે બસ જોતા જ નજર ઠરી જાય એટલો સુંદર આ દરિયાના પાણીનો કલર છે. અહીં દરિયામાં અદભૂત દરિયાઈ જીવ પણ છે, અહીં સ્કૂબા ડ્રાઇવની બોટ મારફતે લોકો આવનાર દિવસોમાં મજા માણી શકશે. જલ્દી કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વને મુક્તિ મળશે, ત્યારે કુદરતના અદભૂત નજારાને માણવા પ્રવાસીઓ ઉમટી પડશે.
આ સુંદર બીચ સ્થાનિકોને પણ રોજગારીની તકો આપશે
પ્રવાસીઓ માટે આ બીચ કુદરતનો સુંદર દરિયા કિનારો સાબિત થશે. અદભૂત અને રમણીય શિવરાજપુર બીચ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. હાલ કોરોના મહામારી સમયે બાદ હવે તંત્ર દ્વારા અહીં બીચ પર અવરજવરની આંશિક છૂટછાટ આપવામાં આવતા યાત્રિકો માટે ખૂબ આનંદના સમાચાર છે. હાલ આવી રહેલા પ્રવાસીઓ પણ આ બીચની મુલાકાત લઈ પરિવાર સાથે અદભૂત આનંદ લઈ રહ્યા છે. યાત્રિકો કુદરતના ખોળે આ અદભૂત સુંદરતા ધરાવતા શિવરાજપુર બીચ પર સ્નાન સાથે સુંદર સુવિધાઓનો લાભ લઇ ખુબ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આ સુંદર બીચ સ્થાનિકોને પણ રોજગારીની તકો આપશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ગાર્ડનથી લઈ નહાવા સુધી ખુબ સુંદર વ્યવસ્થા
શિવરાજપુર બીચ ખૂબ સ્વચ્છ અને રમણીય છે. સુંદર અને સ્વચ્છ એવા બીચમાં પ્રવાસીઓ માટે ખૂબ સુંદર સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અહીં ગાર્ડનથી લઈ નહાવા સુધી ખુબ સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, ત્યારે આ બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળી ગયો હોય હોવી આવનાર દિવસોમાં અહીં વિદેશી પ્રવાસીઓ પણ આ સુંદર બ્લુ પાણી ધરાવતા આ બીચની મુલાકાત લેતા થશે. અહીં સ્વચ્છતા મુદ્દે ખૂબ કાળજી રાખવામાં આવી છે, હાલ તંત્ર દ્વારા અહીં અવરજવર પર છૂટછાટ આપવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ છે.