ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે ત્યારે દરિયા કિનારે આવેલા દ્વારકામાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે દ્વારકાધીશ ભગવાનને પણ હાલ ઠંડીમાં શીતકાલીન શૃંગાર કરવામાં આવી રહ્યો છે
દ્વારકામાં દ્વારકાધીશ ભગવાનને શીતકાલીન શૃંગાર
પશમી નામની ગરમ કાશ્મીરી શાલ ઓઠાડાઈ
ઠાકોરજીને ચાંદીની સગડીમાં તાપણું
ભારે ઠંડી વચ્ચે હાલ ભગવાન દ્વારકાધીશનું પણ પૂજારી પરિવાર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે ભગવાનને ઠંડી ન લાગે તે ભાવ સાથે દ્વારકાધીશ ભગવાનને એ પ્રકારના શૃંગાર હાલ કરવામાં આવી રહ્યા છે પશમી નામની ગરમ કાશ્મીરી શાલ સહિત શ્રીજી ને ગરમ વસ્ત્રો પરિધાન હાલમાં સમગ્ર ભારતમાં શીત લહેર હોય તેમજ ધનારક સમય કે જેમાં શુભ કાર્યો થતા નથી અને ધાર્મિક કાર્યો ભાગવત સપ્તાહ વગેરે કરવામાં આવે છે ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશ વારા દાર પુજારી દ્વારા મોસમ ને અનુરૂપ શૃંગાર ભોગ વસ્ત્ર પરિધાન આદિ અર્પણ કરવામાં આવે છે.
ઠાકોરજીને ચાંદીની સગડીમાં તાપણું મોસમને અનુરૂપ અર્પણ કરાય છે
દ્વારકાધીશ મંદિર પ્રણવ પૂજારીના જણાવ્યા મુજબ શિયાળાના સમયમાં ભગવાન દ્વારકાધીશને અભિષેક થયા પછી ભગવાનની સામગ્રીમાં સોભાગ્ય સુંઠ જેમાં ધી ગોળ મરી તજ કેસર કાળી મુશલી ધોળી મુશલી બદામ પિસ્તા કાજુ ઠાકોરજીને ધરવામાં આવે છે. ચાંદીના વાસણમાં કેસરયુક્ત દૂધ અર્પણ કરી ઠંડી ઓછી પડે તેવો ભાવ વ્યક્ત કરવામાં આવે છે.
રાજ ભોગ સમયે અડદિયાનો ભોગ બાજરી ના રોટલા રીંગણાનો ઓળો
ઉપરાંત ચાંદીની સગડીમાં ઠાકોરજીને તાપણું કરી સવાર-સાંજ બંને સમયે શેક કરાય છે ઠંડીના પડે તે હેતુથી શિયાળાના સમયમાં ભગવાન શ્રી દ્વારકાધીશ ને સોનાના દાગીના પરિધાન કરાવવામાં આવે છે ભગવાનને ધરાવતા રાજ ભોગ સમયે અડદિયાનો ભોગ બાજરી ના રોટલા રીંગણાનો ઓળો ધરાવવામાં આવે છે તેમજ ભગવાન દ્વારકાધીશને પણ ગરમ વસ્ત્રો જેવા જેમકે બંડી સાલ તેમજ ગરમ જાકીટ કોટનના અલગ અલગ વસ્તુઓ પરિધાન કરવામાં આવે છે.
કાશ્મીરી શાલ સિલ્કની રજાઈ પરિધાન કરવામાં આવે છે
ઉપરાંત ભગવાનને કેસરયુક્ત ગરમ દૂધ પણ અર્પણ કરવામાં આવે છે રાત્રિના સમયે પણ શૃંગાર બડા કરી ગરમ કોટ વુલન કપડાનો અને કાશ્મીરી શાલ સિલ્કની રજાઈ પરિધાન કરવામાં આવે છે આ પ્રકારનો ઊત્સવ દર્શન ક્રમ ઠંડીના સમયમાં યોજવામાં આવે છે જગત મંદિરના વારસદાર પૂજારીઓ દ્વારા ઠાકોરજીને સવારે મંગળા આરતી તેમજ અભિષેક પૂજન બાદ અને સાંજે સંધ્યા સમય બાદ ચાંદી ની સગડી પ્રજવલિત કરી તાપણું કરી ઉષ્માપણાનો ભાવ વ્યક્ત કરવા મા આવે છે