દેવભૂમી દ્વારકાઃ કૃષ્ણનગરીમાં ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે. જામ ખંભાળીયાના જોધપર નાકા પાસે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનો આજે બીજો દિવસ છે. ઉપવાસ પર ઉતરેલા ખેડૂતો આજે ભિક્ષુક બની ગયા. તેમણે માર્ગ પર બેસીને ભિક્ષા માગતા નજરે પડયા હતા.
મહત્વનું છે કે મગફળી અને અલગ અલગ પાંચ જેટલા મુદ્દાઓને લઈને ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે મગફળીના પૈસા ખેડૂતો સુધી પહોંચતા નથી. આજ માગ સાથે ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા છે.
ખેડૂતો ભિક્ષુક બન્યા ત્યારે તેઓ રસ્તા પર ભીખ માંગી પૈસા એકત્ર કરતા નજરે ચડ્યાં હતા. મગફળીના પૈસા ખેડૂતો સુધી ન પહોંચ્યાના આરોપ લગાવ્યા હતા. આ સાથે અલગ-અલગ મુદ્દાઓને લઇ વિરોધ નોંધાવ્યો હતો.