કુરંગા ભાટવડિયા ગામના ખેડૂતોના ખેતરોમાં નોટિસ કે વળતર વિના ખેતરોમાં વીજ પોલ ઉભા કરી દેવાતા વિવાદ સર્જાયો છે.
દ્વારકા કુરંગા ભાટવડિયામાં વીજપોલ બાબતે વિવાદ
નોટિસ કે વળતર વિના ઉભા કરાયા વીજ પોલ
ઘડી કંપની સુધી વીજ પુરવઠો પહોંચાડવા કામગીરી
કુરંગા સ્થિત RSPL ઘડી કંપની સુધી વીજ પુરવઠા પહોંચાડવા મામલે ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ દાદાગીરીથી ઉભા કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે RSPL ઘડી કંપનીને જેટકો દ્વારા 66 કેવી પાવર પહોંચાડવા માટે કુરંગા તેમજ ભાટવડીયા ગામના ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઉભા કરવા મામલે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.
ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો
ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે RSPL ઘડી જેવી ખાનગી કંપનીને જેટકોએ 66 કેવી લાઈન મારફતે વીજ પુરવઠો પહોંચાડવા ખેડૂતોના ખેતરોમાંથી વીજ પોલ કોઈ નોટિસ કે વળતર વિના ઉભા કરવામાં આવ્યા હોય આ મામલે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે ખેડૂતોના માલિકીના ખેતરોમાં વીજ પોલ ઉભા ખેડૂતોને નોટિસ કે વળતર આપ્યા વિના ઉભા કરી દેવામાં આવ્યા છે.
જોખમી વીજ વાયરો ખાનગી માલિકીની જમીન માંથી પસાર કરવામાં આવ્યા
જોખમી વીજ વાયરો ખાનગી માલિકીની જમીન માંથી પસાર કરવામાં આવ્યા છે આ 66 KVની લાઈનો તેમજ વીજ પોલ ખેડૂતોને નોટિસ કે વળતર આપ્યા વિના ઉભા કરવામાં આવ્યા હોય ખેડૂતોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે, વળતર કે નોટિસ આપ્યા વિના કેવી રીતે કામ કરી શકાય એ પણ એક સવાલ ઉભો થાય છે ત્યારે આ મામલે ખેડૂતોએ રજુઆત પણ કરી છે ત્યારે આ માંમલે ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ખેડૂતો આ મામલે લડત આપે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.