આજકાલ દેશની સરકાર અને સુપ્રીમ કોર્ટ તથા કોલેજીયમ વચ્ચે તકરાર ચાલી રહી હોય તેવો માહોલ છે ત્યારે કોર્ટ દ્વારા વધુ કેસમાં કરાયેલ ટિપ્પણી ચર્ચામાં છે.
કાયદા મંત્રીએ સુપ્રીમ કોર્ટ પર કરી હતી ટિપ્પણી
SCએ પણ એક કેસના ચુકાદામાં આપ્યો જવાબ
અમારા માટે કોઈ કેસ નાનો મોટો નથી હોતો: કોર્ટ
કોર્ટે શું કરી ટિપ્પણી?
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર કિંમતી અને અપરિહાર્ય છે. અદાલતે કહ્યું કે જો દેશમાં મૌલિક અધિકારો સામે થતાં ઉલ્લંઘન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિશેષ સંવૈધાનિક શક્તિઓનું ઉલ્લંઘન થશે. એક અરજી કરનાર ઈકરામને રાહત આપતી વખતે સુપ્રીમ કોર્ટે આ તમામ ટીપ્પણીઓ કરી છે જેને લઈને માનવામાં આવી રહ્યું છે કે આવું કહીને કોર્ટે કાયદા મંત્રીને જવાબ આપ્યો છે.
શું કહ્યું હતું કાયદા મંત્રીએ?
નોંધનીય છે કે કાયદા મંત્રીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જામીન અરજીઓ તથા નિરર્થક જાહેર હિતની અરજીઓ પર સુનાવણી કરવી જોઈએ નહીં, જે કેસ પેન્ડિંગ પડ્યા છે તેમની સંખ્યા વધતી જઈ રહી છે.
કોઈ કેસ નાનો કે મોટો નથી હોતો: કોર્ટ
સુપ્રીમ કોર્ટે આ મુદ્દે એક કેસમાં કહ્યું છે કે કોઈ પણ કેસ નાનો નથી હોતો, જો અમે વ્યક્તિગત સ્વતંત્રતા માટે કાર્યવાહી ન કરીએ તો અમે અહિયાં છે જ શું લેવા? જો ન્યાયાલય આવું નહીં કરે તો વ્યક્તિ સ્વતંત્રતા સમાપ્ત થઈ જશે.
શું છે ઈકરામનો કેસ?
નોંધનીય છે કે ઈકરામ નામક વ્યક્તિએ કરેલ અરજીમાં જ આ સમગ્ર ટીપ્પણીઓ સામે આવી છે. ઈકરામને ઉત્તર પ્રદેશની હાપુડ જિલ્લાની એક અદાલતે નવ ગુનાઓમાં દોષિત સાબિત કર્યો હતો અને પ્રત્યેક કેસમાં બે બે વર્ષની સજા સંભળાવી હતી. હવે જેલના અધિકારીઑ કહી રહ્યા છે કે તેની સજા એક બાદ એક કેસમાં ક્રમિક થશે એટલે તેણે 18 વર્ષ સુધી જેલમાં જ રહેવું પડશે. જે બાદ ઈકરામાં હાઇકોર્ટ ગયો ત્યાં સુનાવણી ન થતાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સુપ્રીમ કોર્ટે આદેશને પલટી નાંખ્યો અને કહ્યું કે ઈકરામને એકસાથે જ સજા થવી જોઈએ, આ ઘોર અન્યાયને રોકવો જોઈએ.