કહેવાય છે ને કેટલીક આદતો વારસાગત હોય છે અને કેટલીક બિમારીઓ પણ વારસાગત હોય છે. બોલિવૂડ અભિનેતા સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાના કેન્સરનું નિદાન થયુ છે. જેલમાંથી છૂટીને આવ્યા બાદ તેમણે ફિલ્મોમાં કામ ફરીથી શરૂ કર્યું અને હવે કેન્સર થતાં તેમણે કામમાંથી રજા લીધી છે. સંજય દત્તની ફેમિલી સાથે કેન્સરનો જૂનો સંબંધ છે.
સંજય દત્તને ફેફસાનું કેન્સર
સંજયની માતા નરગીસને હતુ કેન્સર
દત્ત પરિવાર અને કેન્સરનો સંબંધ
સંજય દત્તની માતા નરગીસે 3 મે 1981ના રોજ કેન્સરથી લડતા લડતા મુંબઇના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પ્રાણ છોડ્યા હતા. 1981માં આવેલી સંજયની પહેલી ફિલ્મ રોકી રિલીઝ થાય તેના થોડા સમય પહેલા જ તેમની માતા નરગીસનું નિધન થયુ હતું.
સંજયે નરગીસને યાદ કરતા કહ્યું કે, 1981માં જ્યારે તેમની માતા સ્લોન કેટરિંગ હોસ્પિટલથી પરત ફર્યા ત્યારે તેમનુ લિવર ખરાબ થઇ ચૂક્યું હતું. તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, હોસ્પિટલનું નામ સંજય લેવા નહોતા માંગતા. 2 વર્ષ સુધી નરગીસની સારવાર જે ડૉક્ટર્સ અને નર્સોએ કરી તેઓ ભારત આવ્યા હતા પરંતુ તે હોસ્પિટલવાળા લોકોએ વિદેશથી આવેલા ડૉક્ટર્સને આવવા ન દીધા. તેના બીજા જ દિવસે સંજયે તેમની માતાને ગુમાવ્યા. તેઓ એક જીવ બચાવવા જ આવ્યા હતા.
તેમના આ નિવેદનના આટલા વર્ષો પછી પણ સંજયને એવુ જ લાગે છે કે તેમની માતાને થોડો વધારે સમય બચાવી શકાયા હોત. સંજયની પહેલી પત્ની રિચા શર્માએ પણ બ્રેન ટ્યુમરથી લડતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. પત્નીને ગુમાવ્યા બાદ તે ટૂટી ગયા હતા. સંજયને કેન્સર હોવાનું નિદાન થતા તેમના ફેન્સ પર પહાડ ટૂટી પડ્યો હોય તેવુ લાગે છે.
હાલમાં સંજય પર લોકો ગુસ્સે હતા કારણકે મહેશ ભટ્ટની ફિલ્મ સડક-2ને સુશાંતના મોતને કારણે રિલીઝ થવા દેવા માંગતા નથી. હાલ સંજય સારવાર હેઠળ છે અને જલ્દી જ સાજો થઇ જાય તેવી પ્રભુને પ્રાર્થના.