તૂર્કીમાં આવેલા ભયંકર ભૂકંપથી આશરે 1300 લોકોનું મોત થયું છે. એક એક્સપ્રટે 3 દિવસ પહેલાં જ આ બાબતે કરી હતી ભવિષ્યવાણી...
તૂર્કી સીરિયામાં ભીષણ ભૂકંપ
આશરે 1300 લોકોનું મોત
3 દિવસ પહેલાં જ થઈ હતી ભવિષ્યવાણી
તૂર્કીમાં આવેલો આંચકાની તીવ્રતા એટલી તેજ હતી કે તેની અસર સાઈપ્રસ, ગ્રીસ, જોર્ડન, લેબનાન, સીરિયા, યૂકે, ઈરાક અને જ્યોર્જિયા સહિતનાં કેટલાક અન્ય દેશોમાં પણ થઈ છે. ભૂકંપનાં ઝટકાઓથી તૂર્કીમાં આશરે 3000 બિલ્ડીંગો ધારાશાહી થઈ છે. જાણકારી અનુસાર આશરે 1300 લોકોનું મોત પણ નિપજ્યું છે.
3 દિવસ પહેલાં થઈ હતી ભવિષ્યવાણી
તૂર્કીમાં આવેલા આ ભીષણ ભૂકંપને લઈને એક ડચ શોધકર્તા ફ્રેન્ક હૂગરબીટ્સએ 3 દિવસ પહેલાં એટલે કે 3 ફેબ્રુઆરી 2023નાં રોજ ભવિષ્યવાણી કરી હતી. નેધરલેન્ડ સ્થિત સંગઠન સોલાર સિસ્ટમ જિયોમેટ્રી સર્વે SSGS માં કામ કરતાં હૂગરબિટ્સે ટ્વિટ કરીને આ ભૂકંપ અંગે ભવિષ્યવાણી કરી હતી.
ટ્વિટમાં તીવ્રતા અંગે પણ લગાવ્યું હતું અનુમાન
તેમણે ટ્વિટમાં લખ્યું કે, 'ટૂંક સમયમાં કે થોડા સમય પછી દક્ષિણ-મધ્ય તૂર્કી, જોર્ડન, સીરિયા, લેબનાનમાં M~ 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવશે.' SSGS પોતાને ટ્વિટર પર ભૂકંપીય ગતિવિધિઓ સંબંધિત ખગોળિય બાબતો અંગે એક સંસ્થાન તરીકે જણાવે છે.
શું હતી ભવિષ્યવાણી?
ફ્રેન્ક હૂગરબીટ્સની ભવિષ્યવાણી વાયરલ થયા બાદ તેમણે ભૂકંપ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે 'જેવી રીતે મેં પહેલાં કહ્યું હતું, ટૂંક સમયમાં કે પછી આ ક્ષેત્રમાં ભૂકંપ થશે, જેવું 115 અને 526 વર્ષોમાં થયું હતું. આ ભૂકંપ હંમેશા મહત્વપૂર્ણ ગ્રહોની ભૂમિતિથી પહેલાં થાય છે, જેવું કે આપણે 4-5 ફેબ્રુઆરીનાં કર્યું હતું...'