સુરેન્દ્રનગરના વઢવાણના ફુલગામ ગામે સાઈબાબાનાં મંદિર પાસે બાળકને ત્યજીને એક અજાણ્યો શખ્સ ફરાર. બાળકને હોસ્પિટલ લઇ જવાયું. છેલ્લા મહિનામાં અમદાવાદમાં ઘટી આવી જ ત્રણ ઘટના
વઢવાણના કુલગામની હૃદયદ્રાવક ઘટના
બેસતા વર્ષનાં દીવસે નવજાત બાળક ત્યજાયું
સાઈબાબાના મંદિરે બાળક મૂકી શખ્સ ફરાર
નવા વરસના સપરમા દિવસે જ એક બાળક માતૃત્વથી વંચિત થઇ ગયું. હજુ મહિના પહેલા જ ગાંધીનગરમાં 10 માસના બાળકને તેનો પિતા તરછોડી ગયાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં સુરેન્દ્રનગરના વઢવાણના ફુલગામ ગામે નવજાત બાળક મળી આવ્યું છે. કુલગામનાં સાઈબાબાનાં મંદિર પાસે બાળકને ત્યાજીને એક શખ્સ ફરાર થઇ ગયો હતો.
અમદાવાદમાં ત્રીજી ઘટના
અમદાવાદમાં નાના બાળક મળવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા 15 દિવસમાં 3 જેટલા બાળકો મળી આવ્યા છે. અમદાવાદમાં એક નાનકડી બાળકી કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી મંદિર પાસે amts બસ સ્ટેન્ડ પરથી મળી આવી. ગત રાત્રે 12 આગે સ્થાનિકને બાળક રડવાનો અવાજ આવતા તપાસ કરતા મામલો સામે આવ્યો. જે બાદ સ્થાનિક પોલીસને સમગ્ર મામલે જાણ કરાતા કૃષ્ણનગર પોલીસે બાળકીના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જોકે જ્યાંથી બાળકી મળી આવી ત્યાં CCTV નહીં હોવાથી અને જે છે તે cctv બંધ હોવાથી પોલીસે સ્થાનિકોની પૂછપરછ શરૂ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે બાળકી એક બે દિવસની જ છે. જેથી આસપાસની હોસ્પિટલમાં બાળકીની ડિલિવરી થઈ હોય શકે છે. અથવા તો બહારથી બાળકને લાવી AMTS બસ સ્ટેન્ડમાં મૂકી દેવામાં આવ્યું છે. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. બાળકને 108 ટીમની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
છેલ્લા 15 દિવસમાં 3 નવજાત બાળક મળ્યા
ઉલ્લેખનીય છે કે અગાઉ 14 ઓક્ટોબરે શ્રીનંદ સિટી પાસે જ્યારે 29 ઓક્ટોબરે અમરાઈવાડીમાં મહાલક્ષ્મી નગર પાસે બાળક મળી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અવારનવાર બાળક મળી આવવાની ઘટનાથી સમાજમાં માનવીય મૂલ્યોનું કેટલી હદે પતન થઈ ગયુ છે તે જાણી શકાય છે, તથા વારંવાર નવજાત બાળકને ત્યજવાની ઘટના એ આદર્શ સમાજના લક્ષણ નથી અને તે ખુબજ ચિંતાજનક છે. કૃષ્ણનગરમાં મળી આવેલ બાળકી પહેલા 14 ઓક્ટોબરે વેજલપુરમાં શ્રીનંદ સીટી પાસે જ્યારે 29 ઓક્ટોબરે અમરાઈવાળીમાં મહાલક્ષ્મી નગર પાસે બાળક મળી આવેલ. તો તે પહેલાં પેથાપુરમાં બાળક મળી આવ્યું હતું. ત્યારે બાળકોને ત્યજી દેનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને આવી શર્માસાર કરતી ઘટના પર નિયંત્રણ લાવવા પોલીસે તપાસ શરૂ ક