5 ઓક્ટોબરે આખા દેશમાં દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આ પર્વ અધર્મ પર ધર્મની જીતનુ પ્રતિક છે. તેથી આ દિવસે પાન ખાવુ અને હનુમાનજીને પાનનુ બીડુ અર્પણ કરવાની પરંપરા છે.
આજે છે દશેરા
દશેરાના દિવસે પાન ખાવાની અનોખી પરંપરા
પાન ખાવુ અધર્મ પર થયેલી જીતની ખુશીને દર્શાવે છે
દશેરાના દિવસે પાન ખાવાનુ વિશેષ મહત્વ
પાન ખાવુ સંપન્નતાની નિશાની માનવામાં આવે છે. આવો જાણીએ પાન ખાવાનુ મહત્વ અને આ દિવસે પાન કેમ ખાવામાં આવે છે. દશેરાના દિવસે પાન ખાવુ અને બજરંગબલીને પાન ચઢાવવાની પરંપરા રહી છે. પાનને વિજયનુ સુચક અને માન-સન્માાનનુ પ્રતિક માનવામાં આવે છે. દેશના દરેક તહેવારની કઈક ને કઈક પરંપરા રહી છે, જે રીતે દિવાળીએ દીવા, હોળીએ રંગ, લોહડી પર આગની નજીક ડાન્સ કરવો. આ રીતે દશેરાના દિવસે પાન ખાવાનુ વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે દશેરાના દિવસે પાન ખાઈને લોકો અધર્મ પર થયેલી જીતની ખુશીને દર્શાવે છે.
નવરાત્રીમાં માતાને પાન-સોપારી ચઢાવવામાં આવે છે
હિન્દુ ધર્મમાં પાનનો પ્રયોગ દરેક પૂજા-પાઠ અથવા કથા સહિત બધા શુભ કાર્યોમાં કરવામાં આવે છે. તેથી નવરાત્રીમાં માતાને પાન-સોપારી ચઢાવવામાં આવે છે. દશેરાના દિવસે પાન ખાવાનુ બીજુ એક કારણ એવુ પણ છે કે વર્તમાન સમયમાં ફેરફાર શરૂ થાય છે, જેનાથી સંક્રમિત બિમારીઓનુ જોખમ વધી જાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા પર પ્રભાવ પડે છે. એવામાં પાન ખાવુ આરોગ્ય માટે સારું માનવામાં આવે છે. આયુર્વેદમાં પાન ખાવુ સ્વાસ્થ્ય મામલે ચમત્કારી માનવામાં આવ્યું છે અને પાન અને તુલસીને સમાન મહત્વ આપ્યું છે.
પાન ખાવાથી દૂર થાય છે મુશ્કેલીઓ
પાન ખાવુ એટલે પણ સારું મનાય છે, કારણકે નવરાત્રીના નવ દિવસ વ્રત રાખ્યા બાદ અન્ન ગ્રહણ કરવાનુ હોય છે, જેના કારણે પાચન શક્તિ પ્રભાવિત થાય છે. એવામાં પાનના સેવનથી પાચનની પ્રક્રિયા સામાન્ય થાય છે અને પાન ખાઈને ભોજન પચાવવામાં સરળતા રહે છે. આ સાથે પેટની પરેશાનીઓ દૂર થાય છે.
પાન ખાવુ સંપન્નતાની નિશાની છે
દશેરાના દિવસે ભગવાન રામે લંકાના રાજા રાવણ અને માં દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેથી આ પર્વને વિજયાદશમીના નામથી પણ ઓળખવામાં આવે છે. પાન ખાઈને લોકો કર્તવ્યના રૂપમાં બુરાઈ પર અચ્છાઈની જીત તરીકે જોવે છે અને જીતની ખુશી મનાવે છે. પાન ખાવુ સંપન્નતાની નિશાની માનવામાં આવે છે અને તેેનાથી આનંદ મળે છે. સત્ય પર વિશ્વાસ અને ઈશ્વર પર પ્રેમ દર્શાવવા માટે એકબીજાને પાન ખવડાવવામાં આવે છે.