દશેરાના દિવસને વર્ષના સૌથી પવિત્ર દિવસમાંથી એક માનવામાં આવે છે.
હિન્દુ પંચાગ અનુસાર આ તારીખે છે દશેરા
જાણો પુજા વિધી અને શુભમુહૂર્ત
આ દિવસથી શરૂ કરો તમારા શુભ કાર્ય
હિન્દૂ પંચાગ અનુસાર, દિવાળીના 20 દિવસ પહેલા શુક્લ પક્ષની દશમી તિથિએ દશેરા આવે છે. દશેરાના દિવસને વર્ષના સૌથી પવિત્ર દિવસમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ નવા કામની શરૂઆત કરવાને ઉત્તમ માનવામાં આવે છે.
દશેરા 2021 ક્યારે છે?
દશેરાનો કહેવાર આ વર્ષ 15 ઓક્ટોબર શુક્રવારે ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર, માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. આ દિવસને વિજયા દશમીના રૂપમાં પણ મનાવવામાં આવે છે.
વિજયા દશમી શુભ મુહૂર્ત
15 ઓક્ટોબરે વિજયા દશમીના દિવસે બપોરે 2 વાગીને 1 મિનિટથી લઈને 2 વાગીને 47 મિનિટ સુધી વિજય મુહૂર્ત છે. આ મુહૂર્તનો કુલ સમયગાળો 46 મિનિટનો છે. બપોરના સમયે પૂજાનું શુભ મુહૂર્ત 1 વાગીને 15 મિનિટથી લઈને બપોરે 3 વાગીને 33 મિનિટ સુધી છે.
આ દિવસે કરવામાં આવે છે શુભ કામ
આ દિવસે ભગવાન શ્રી રામ, દુર્ગાજી, લક્ષ્મી, સરસ્વતી, ગણેશ અને હનુમાનની આરાધના કરીને દરેક માટે મંગળની પાર્થના કરવામાં આવે છે. બધી મનોકામનાઓ પુરી કરવા માટે વિજયાદશમી પર રામાયણ પાઠ, શ્રી રામ રક્ષા સ્ત્રોત, સુંદરકાંડ વગેરેનું પાઠ કરવો શુભ માનવામાં આવે છે.