દશેરાના દિવસે આ 10 કામો કરવાથી તમારા જીવનની આર્થિક તંગી થશે દૂર
દશેરાના દિવસે કરો આ કામ
ખુલી જશે કિસ્મતના તાળા
આ 10 કામ કરવાથી દૂર થશે આર્થિક તંગી
દશેરા હિન્દુઓના પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ વખતે 15 ઓક્ટોબરે દશેરા છે. આ દિવસે ભગવાન શ્રીરામના હાથે રાવણનું વધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ પર્વની ઉજવણી બુરાઈ પર અચ્છાઈની જીતના રૂપમાં કરવામાં આવે છે. ત્યાં જ આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો સંહાર કર્યો હતો. માટે તેને વિજય દશમીના રૂપમાં ઉજવવામાં આવે છે. દશેરા પર અસ્ત્ર-શસ્ત્રની પુજા કરવામાં આવે છે અને વિજય પર્વની ઉજવણી કરવામાં આવે છે. જ્યોતિષાચાર્ય ડૉ. અરવિંદ મિશ્રના જણાવ્યા અનુસાર આ દિવસે અમુક ખાસ નિયમ બનાવવામાં આવ્યા છે. તેને કરવાથી ક્યારેય પૈસાની કમી નહીં થાય. એટલું જ નહીં તમારી સક્સેસ માટે નવા રસ્તા પણ ખુલી જશે.
કરો આ 10 કામ
વિજયાદશમીના દિવસે તમારે અસ્ત્ર-શસ્ત્રની સાફ-સફાઈ કરવી જોઈએ. આ અસ્ત્ર-શસ્ત્રોનું પુજન પણ કરો.
જો તમારો કોઈ કેસ ચાલી રહ્યો છે. તો તમારા કેસની ફાઈલ ઘરના મંદિરમાં ભગવાનની પ્રતિમાની વચ્ચે મુકી દો. આમ કરવાથી તમને વિજય પ્રાપ્ત થશે.
આ દિવસે સુરજમુખીની જડનું વિધિ પુર્વક પૂજન કર્યા બાદ તમારી તિજોરીમાં તેને મુકો, આમ કરવાથી ક્યારેય તમારે ત્યાં ધનની કમી નહીં થાય.
આ દિવસે કોઈ કુશળ યોદ્ધાથી યુદ્ધ કૌશલની શિક્ષા ગ્રહણ કરો, અસ્ત્ર-શસ્ત્રના સંચાલનનું પ્રશિક્ષણ લેવું પણ શુભ માનવામાં આવે છે.
વિજયાદશમી પર ભગવાન શ્રીરામના 108 નામોનુ જાપ કરવાથી જીવનમાં આવનાર દરેક મુશ્કેલીઓ દુર થશે. સાથે જ તમારા સાહસ અને શૌર્યમાં વૃદ્ધિ થશે.
વિજયાદશમી પર કન્યાઓ માટે કરવામાં આવેલા દાન પુણ્ય કાર્યથી માતા દુર્ગાનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત થશે. ધનમાં વધારો થશે અને સફળતા મળશે.
વિજયાદશમીના દિવસે નોકરીમાં ઉન્નતિ માટે એક સફેદ કાચા સુતરાઉના દોરાને કેસરથી રંગો અને ઓમ નમો નારાયણ મંત્રો 108 વખત જાપ કરીને તમારી પાસે રાખી લો.
આ દિવસે બદામને લાલ કપડાંમાં લપેટીને પુજામાં મુકો. પૂજા બાદ પ્રતિદિન બદામને પલાશીને ધસીને ગાયના દેશી ધીમાં મિક્ષ કરીને ખાવાથી બુદ્ધિ તીવ્ર થશે અને યાદશક્તિ વધશે.
આ દિવસે પ્રતિદિવસ ગાયત્રી મંત્રનો 108 વખત જાપ કરવાનો શરૂ કરો છો તો બુદ્ધિ-શુદ્ધ અને નિર્મલ થશે. જેનાથી તમે પોતાની શક્તિ સામર્થ્યનો કોઈ કમજોર અને નિર્બલ વ્યક્તિ પર પ્રયોગ ન કરો અને અધર્મ અને અનીતિનો સામનો કરો. તેનાથી તમારૂ હદય બળ અને આત્મબળ પણ વધશે.
વિજય દશમીના દિવસે પોતાના પર અથવા પરિવાર પર આવેલી નકારાત્મક દુષ્પ્રભાવને ખતમ કરવા માટે દક્ષિણ દિશામાં મોઠુ કરીને હનુમાનજીના સામે તલના તેલનો દિવો સળગાવો અને સુંદરકાંડનો ઉચ્ચ સ્વરમાં પાઠ કરો.