હરિયાણાના ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોની વચ્ચે ચાલી રહેલા ગતિરોધ પર ચુપ્પી તોડી છે. તેમણે કહ્યું કે હંમેશા ખેડૂત પહેલા છે. ચૌટાલાએ કહ્યું કે જો ખેડૂતોને તેમના પાક માટે ન્યૂનતમ મૂળ રકમ નથી મળતી તો તેઓ રાજીનામુ આપવામાં સૌથી પહેલા હશે.
ખેડૂતો પોતાના ફાયદાની વાત પર જરુર રાજી થશે
ચૌટાલાએ કહ્યું કે વિપક્ષને સૌથી વધારે મારી પડી છે
....તે દિવસે ચૌટાલા રાજીનામું આપી દેશે
મીડિયા સાથેની વાતચીતમાં ચૌટાલાએ કહ્યું ક કેન્દ્ર ન્યૂનતમ સમર્થન મૂલ્ય ખેડૂતો ને લખી આપવા માટે તૈયાર થઈ ગયું છે ત્યારે ચૌટાલાનું કહેવું છે કે ખેડૂત સંગઠનોની સરકાર સાથે સતત વાતચીત ચાલું છે. ત્યારે જલ્દી સમસ્યાનું સમાધાન નિકળશે. તેણે કહ્યું કે જ્યાં સુધી સરકારમાં છે ખેડૂતો માટે ન્યૂનતમ મૂલ્યની વાત ઉઠાવશે અને આશ્વસ્ત કરશે કે ખેડૂતોને તેમના પાક માટે એમએસપી મળતી રહે.
તે દિવસે તેઓ રાજીનામું આપી દેશે
વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો કે ચૌટાલા મંત્રી પદને ચીપેલા છે. પણ દુષ્યંતે કહ્યું કે જ્યારે તે સત્તામાં છે ત્યાં સુધી તે ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ભાવ અપાવવાનું કામ કરશે. જે દિવસે તે એવું ન કરી શક્યા તે દિવસે તેઓ રાજીનામું આપી દેશે. ચૌટાલાએ કહ્યું કે તે રાજીનામુ આપનારાઓમાં મોખરે હશે.
ચૌટાલાએ કહ્યું કે વિપક્ષને સૌથી વધારે મારી પડી છે
ચૌટાલાએ કહ્યું કે અમે ખેડૂતો પાસેથી રેકોર્ડ સ્તર પર પાક ખરીદી રહ્યા છે અને અધિકારીઓને વધારે પાક ખરીદવા માટે નિર્દેશ આપવમાં આવી રહ્યા છે. જેના માટે ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળી જાય. વિપક્ષના હુમલા પર ચૌટાલાએ કહ્યું કે વિપક્ષને સૌથી વધારે મારી પડી છે. ખેડૂતોને તેમના પાકનું વળતર ત્યાં સુધી મળતુ રહેશે જ્યાં સુધી તેમનો પ્રતિનિધિ સરકારમાં છે. હું તેમના પ્રતિનિધિ તરીકે સરકારમાં છું. હરિયાણા સરકાર સતત કેન્દ્રની સાથે મામલામાં સલાહ આપવાનું કામ કરી રહી છે.
ખેડૂતો પોતાના ફાયદાની વાત પર જરુર રાજી થશે
દુષ્યંતે કહ્યું કે તે સતત કેન્દ્રીય મંત્રી તોમર અને પીયૂષ ગોયલના સંપર્કમાં છે. આ ઉપરાંત બાકી લોકો સાથે પણ વાતચીત કરવામાંઆવી રહી છે. ચૌટાલાએ કહ્યું કે મને આશા છે કે ખેડુતોના સંઘર્ષની જીત થશે. ખેડૂતો પોતાના ફાયદાની વાત પર જરુર રાજી થશે. હરિયાણા સરકાર તરફથી કેન્દ્રને સૂચનો આપવામાં આવી રહ્યા છે.