સુરતમાં ભૂમાફિયાઓના આતંક વચ્ચે PMO એક્શન મોડમાં આવ્યું છે જેને પગલે એવું ચર્ચાઈ રહ્યું છે કે, સેન્ટ્રલ IBની ટીમે સુરતમાં ધામા નાંખ્યા છે આવી વાત રિયલ એસ્ટેટમાં પ્રસરી જતા ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સુરતમાં ભૂમાફિયાઓના આતંક વચ્ચે એક્શનમાં PMO
સેન્ટ્રલ IBની ટીમના સુરતમાં ધામા-સૂત્ર
દુર્લભ પટેલ કેસમાં દિલ્હીમાં પણ નજર હોવાની ચર્ચા
દુર્લભ પટેલ કેસમાં દિલ્હીથી નજર રખાઈ રહી હોવાની પણ ચર્ચા છે. જમીન કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ પણ શંકાની ભૂમિકામાં છે. સેન્ટ્રલ IBની તપાસ વાત રિયલ એસ્ટેટ બજારમાં પ્રસરી ગઈ છે જેને લીધે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સુરતથી વારંવાર ભૂમાફિયાને લઈને ઉઠતી હતી ફરિયાદ જેને પગલે PMO દ્વારા રિપોર્ટ મંગાવાયા હોવાનું કહેવાય છે.
શું છે દુર્લભ પટેલ આપઘાત કેસ?
સુરત શહેરમાં આવેલ રાંદેર વિસ્તારમાં ખાતેની એક સોસાયટીમાં રહેલા દુર્લભભાઇ પટેલની સુરતના માંડવીના ખંજરોલી ગામે ક્વોરી આવેલી છે. ખંજરોલી ગામેથી માંડવી ક્વોરી જવાનું કહીને નીકળેલા દુર્લભભાઇ ન પહોંચતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. જો કે આ સમય દરમિયાન ક્વોરી નજીક ખાણ પાસેથી તેમના ચંપલ, મોબાઇલ મળી આવ્યાં.
જો કે તેમની જ ક્વોરીની ખાણમાંથી દુર્લભ ભાઇ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ માન્યુ હતું. જો કે પોલીસના ધમાધમાટ વચ્ચે તેમની ઓફીસમાં શોધખોળ કરતાં એક ચિઠ્ઠી મળી આવી હતી.
ભૂમાફિયાઓએ લીધો જીવ
પાટીદાર અગ્રણી દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં વિવાદનું કેન્દ્ર બનેલી પીસાદની હજાર વાર જેટલી જમીનના ભાવ સતત વધતાં ગયા હતા. બીજી તરફ ITની નોટિસ અને ચેકથી ચૂકવવાની થતી રૂપિયા ત્રણ કરોડની રકમ મામલે વિવાદ સતત વધતો જ રહ્યો હતો. જે અંતે દુર્લભ પટેલને આત્મહત્યા સુધી પ્રેરી ગયો હતો. અલબત્ત, પોલીસ તપાસ ચાલી રહી હોય આવનારા સમયમાં જમીન વિવાદમાં અત્યાર સુધી છુપા રહેલાં અનેક રહસ્ય પરથી પડદાં ઉંચકાઈ શકે છે. જમીનનો સોદો થયો ત્યારે અને હાલ બજાર કિંમતમાં 20 કરોડ જેટલો ઉછાળો આવ્યો છે. જેના કારણે આરોપીઓના ત્રાસથી દુર્લભભાઈએ આપઘાત કર્યો હતો.