સારા સમાચાર / લૉકડાઉનની વચ્ચે ભારતમાં કોરોનાના કેસમાં થયો મોટો ઘટાડો, અન્ય દેશોની સરખામણીએ જાણી લો ટકાવારી

During One Month Of Lockdown, Coronavirus Cases Falls From 22 Percent To 8 percent in India

કોરોના વાયરસના કારણે દેશભરમાં લૉકડાઉન જાહેર કરાયું છે ત્યારે આ લૉકડાઉનનો નિર્ણય યોગ્ય સાબિત થઇ રહ્યો છે. પીએમ મોદીએ જ્યારે 1 મહિના પહેલાં લૉકડાઉનની જાહેરાત કરી હતી તે સમયે ભારતના કેસ 500ની આસપાસ હતા. આ સાથે જ તે સમયે દેશભરમાં કોરોનાથી જોડાયેલા મામલાઓનો સરેરાશ દૈનિક વૃદ્ધિદર 22 ટકા હતો જે ઘટી અને હવે 8 ટકા થઇ ગયો છે. એટલે કે કોરોના વાયરસના કેસ દરમાં 14 ટકાનો ઘટાડો આવ્યો છે. જો ભારતમાં સરેરાશ દૈનિક વૃદ્ધિદર 22 ટકા હોત તો અત્યાર સુધી 2 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા હોત. જો કે લૉકડાઉનના કારણે કોરોના વૃદ્ધિદરમાં ઘટાડો આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ