જ્યોતિષ શાસ્ત્ર મુજબ હોલિકા દહનના દિવસે કાળા અને સફેદ રંગના કપડા ન પહેરવા જોઈએ. આ રંગના કપડાઓ પર નકારાત્મક ઉર્જા જલ્દી આર્કષિત થાય છે. એવામાં હોલિકા દહનના દિવસે આ શક્તિઓનો અંત થવાના બદલે તે સફેદ-કાળા રંગમાં ચોટી પરત ઘરે આવી શકે છે.
આ વખતે 7 માર્ચે હોલિકા દહન અને 8મી માર્ચે ધૂળેટી છે
હોલિકા દહનના દિવસે કાળા અને સેફદ રંગના કપડા ન પહેરવા જોઈએ
હોલિકા દહન બાદ જરૂરિયાતમંદોને દાન પણ કરવું જોઈએ
ખુશી અને ઉત્સાહનો તહેવાર હોળી 2 દિવસ પછી આવવાનો છે. આ વખતે 7 માર્ચે હોલિકા દહન અને 8મી માર્ચે ધૂળેટી છે. માન્યતા છે કે પરિવાર પર હાવી ખરાબ શક્તિનું હોલિકા દહનના દિવસે નાશ કરી દેવામાં આવે છે. આ દિવસે ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે. હોલિકા દહન સાથે જોડાયેલા તે નિયમો શું છે અમે તેના વિશે તમને વિગતવાર જણાવીએ છીએ.
આ રંગના કપડા ન પહેરવા જોઈએ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ હોલિકા દહનના દિવસે કાળા અને સફેદ રંગના કપડા ન પહેરવા જોઈએ. આ રંગના કપડાઓ પર નકારાત્મક ઉર્જા જલ્દી આકર્ષિત થાય છે. એવામાં હોલિકા દહનના દિવસે આ શક્તિઓનો અંત થવાના બદલે તે સફેદ-કાળા રંગમાં ચોટી પરત ઘરે આવી શકે છે.
જરૂરિયાતમંદોને દાન કરવાનું ન ભૂલો
માન્યતા છે કે હોલિકા દહનની પૂજા દરમિયાન તમારું મોંઢુ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે. એટલું જ નહીં હોલિકા દહન બાદ તમારી ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદોને દાન પણ કરવું જોઈએ. આમ કરવાથી દેવી-દેવતાઓની કૃપા તમારા પર રહે છે.
તામસિક પ્રવૃતિવાળી વસ્તુઓથી દૂર રહો
ધાર્મિક વિદ્વાનો કહે છે કે હોલિકા દહનના દિવસે સિગારેટ, દારૂ, માંસાહારા જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ બધી વસ્તુઓ તામસિક પ્રકૃતિની છે જેના કારણે માણસમાં નકારાત્મક ઉર્જા વધે છે. તેના બદલે માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ.