પીએમ મોદીએ પુષ્કરના ઇતિહાસ વિશે જાણકારી પ્રાપ્ત કરી
પીએમ મોદી આજે રાજસ્થાનની મુલાકાતે છે. તેઓની આ મુલાકાતને પગલે પુષ્કર ખાતે બ્રહ્મા મંદિરમાં વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના ચાર પૂજારીઓ દ્વારા પીએમ મોદી માટે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યા પૂજા બાદ પીએમ મોદીએ પુષ્કરના ઇતિહાસ વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી.હેલિકોપ્ટર દ્વારા પુષ્કર પહોંચ્યા બાદ જ્યા બ્રહ્મા મંદિરમાં પૂજા અને મંદિરના ઇતિહાસની જાણકારી લીધા બાદ પીએમ મોદી હેલિકોપ્ટર મારફતે જયપુર-અજમેર હાઇવે પર આવેલ કાયડ આશ્રમ સ્થાને જવા રવાના થયા હતા. જ્યા તેઓ જંગી જનસભાને સંબોધન કર્યું હતું. સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં વિશાળ જનસભામાં સંબોધન કરતા મોદીએ કહ્યું હતુ. કે 2014 પહેલા સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી.
પીએમ મોદીએ કેન્દ્ર સરકારની આરોગ્ય, શીક્ષણ અને સુવિધા મામલે યોજનાઓ અંગે માહિતી આપી હતી. 2014 સુધીમાં 18 કરોડથી વધુ પરિવાર એવા હતા. જ્યા પાણી ન આવતું બાદમાં સરકારે 8 કોરોડ લોકોને પાણી પહોચાડ્યું હતું. કોંગ્રેસને માત્ર જૂઠ બોલતા આવડ્યું છે અને આજે પણ તે એ જ કરે છે. વધુમાં કોંગ્રેસે વિરભૂમિ અને વિરો સાથે હમેશા અન્ય કર્યો છે.વધુમાં મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે અગાઉ દરેક યોજનામાં 85 કમિશન લેવામાં આવતું હતું. વધુમા બધાને લૂટી લેતા હતા. તેમ કહીંને મોદીએ કોંગ્રેસ સરકારમાં રૂપિયા ક્યાં જતાં તેનો ચિઠ્ઠો ખોલ્યો હતો.
वीरभूमि राजस्थान को कोटि- कोटि नमन। अजमेर में एक विशाल जनसभा को संबोधित कर रहा हूं। जरूर देखिए! https://t.co/hYQMpiWGjU
આ વર્ષના અંતમાં રાજસ્થાન વિધાનસભા ચૂંટણી
મહત્વનું છે કે રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા અત્યારથી જ રાજસ્થાનનો ગઢ કબજે કરવા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાન ભાજપના કાર્યકરો દ્વારા રાજકીય વાઘા સજાવી અને જંગમાં ઉતરી ગયા છે. ત્યારે ચૂંટણી પંચ રાજસ્થાનની પણ મુલાકાત લેશે.
બીજી બાજુ પીએમ મોદી રાજસ્થાનમાં ભાજપનું જન સંપર્ક અભિયાન શરૂ કરાવશે. આ જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકરો ખૂણે ખૂણે જઈ અને સરકારનું રિપોર્ટ કાર્ડ પહોંચાડશે અને મોદી સરકારની નવ વર્ષની સિદ્ધિઓ વિશે લોકોને જાણ કરશે. મહત્વનું છે કે ભાજપનું આ અભિયાન 30 જૂન સુધી દેશભરમાં ચાલશે.