જામનગરના હવાઈ નિરીક્ષણ અને રૂબરૂ અસર ગ્રસ્તોની મુલાકાત લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન કરતા કહ્યું હતું કે 41 હજાર હેકટર જમીનને પ્રાથમિક તબક્કે નુકસાન થયાનું અનુમાન છે, નુકસાન અંગે તાત્કાલિક સર્વેનો આદેશ આપી દીધો છે.
સર્વે બાદ સહાય અંગે જાહેરાત કરાશે : ભૂપેન્દ્ર પટેલ
વરસાદી આફત વચ્ચે સૌરાષ્ટ્ર વાસીઑ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે. જામનગર અને રાજકોટની મુલાકાતે ગયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે જામનગરમાં 41 હજાર હેકટર જમીનને પ્રાથમિક તબક્કે નુકસાનનું થયાની માહિતી મળી રહી છે, 4700 થી વધુ લોકો ને સ્થળાંતરણ કરાયા છે, જેમાં જામનગરમાં શહેરમાં 724 ને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, 84 ગામોમાં વીજળીથી વંચિત તેમજ પશુધનને વ્યાપક નુકસાન ગયાની માહિતી ખુદ મુખ્યમંત્રીએ આપી હતી સાથે જ અસરગ્રસ્તો લોકોની વેદના પણ CMએ સાંભળી અને જામનગરમાં તંત્રએ સ્થિતિ સારી રીતે હેન્ડલ કરી છે તેવી વાત પણ કરી હતી. સાથે કુદરતના કહેરને સામે જનજીવન રાબેતા મુજબ થાય તે માટે ઝડપથી પ્રયાસ કરવાની તેમજ રસ્તાઓના સમારકામથી માંડીને નુકસાની સર્વ સુધીની આદેશ આપ્યા હોવાની માહિતી પણ આપી હતી, વધુમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સર્વે બાદ સહાય અંગે જાહેરાત કરાશે હાલમાં તાબડતોબના ધોરણે આરોગ્ય અને સફાઇની ટીમો ગામડાઓમાં મોકલાશે
ગુજરાત રાજ્યના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્તા સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. સૌરાષ્ટમાં સાંબેલાધાર વરસાદથી મોટી વરસાદી તારાજી સર્જાઇ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે બાદ તે સૌથી વધુ વરસાદી આફતનો ભોગ બનેલા ગામની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે અસરગ્રસ્ત લોકોની વેદના CMએ સાંભળી સંભવિત મદદની ખાતરી આપી હતી, ગ્રામજનોએ તેમને થયેલ નુકસાની વર્ણવી ત્યારે કોઈને અન્યાય નહીં થાય એવી હૈયાધારણા આપી હતીતેમજ તાત્કાલિક તમામ મદદ પહોંચાડવા માટે તંત્રને આદેશ આપ્યા છે. અને સાથે જ સમય લાગે તો પણ તમામ મદદ પહોંચાડશે એવી ખાતરી પણ આપી છે. હવે રાજકોટના સૌથી વધુ અસર ગ્રસ્ત વિસ્તાર લોધિકાની મુલાકાત લઈ રાજકોટ તંત્ર સાથે બેઠક કરવા જામનગરથી મુખ્યમંત્રી રાજકોટ જવા રવાના થયા છે.
કોણ કોણ હતું હાજર
ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, મેયર બીનાબેન કોઠારી, મુખ્ય સચિવ પંકજકુમાર, જિલ્લા કલેક્ટરડો.સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ સહિતના અધિકારીઓ, અને ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.