બિહારના ઔરંગાબાદમાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે એક દર્દનાક અકસ્માત સર્જાયો જેમાં 30થી વધુ લોકો દાઝી ગયા હતા. તે જ સમયે, ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ગેસ લીક થવાને કારણે આગ લાગી
ગેસ લીકને કારણે સિલિન્ડર ફાટ્યો
30થી વધુ લોકો દાઝી ગયા
25 લોકોની હાલત ગંભીર
બિહારના ઔરંગાબાદમાં ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયાનો કિસ્સો સામે આવ્યો છે. સિલિન્ડર ફાટવાને કારણે દર્દનાક અકસ્માત પણ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સિલિન્ડર બ્લાસ્ટના કારણે 30થી વધુ લોકો દાઝી ગયા છે અને તેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે. નગર પોલીસ સ્ટેશન વિસ્તારના શાહગંજ વિસ્તારના વોર્ડ નંબર 24માં શનિવારે વહેલી સવારે લગભગ 2.30 વાગ્યે આ ઘટના બની હતી. અનિલ ગોસ્વામીના ઘરે છઠના તહેવારની તૈયારી ચાલી રહી હતી અને પરિવારના તમામ સભ્યો પ્રસાદ બનાવવામાં વ્યસ્ત હતા. એ સમયે જ આગ લાગી હતી અને તેને ઘરના સિલિન્ડરને ચપેટમાં લીધા હતા. ગેસ લીક થવા લાગ્યો હતો અને આગ ઝડપથી ફેલાવવા લાગી હતી. ત્યાં હાજર કેટલાક લોકોએ આગ ઓલવવાના પ્રયત્નો કર્યા હતા પણ આગ વધુ તીવ્ર બની હતી.
અચાનક થયો વિસ્ફોટ
પડોશીઓ એ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. એ સમયે જ આગની જ્વાળાઓ ધીમે ધીમે વધી રહી હતી અને એ બાદ અચાનક ઘરમાં વિસ્ફોટ થયો હતો. આ કારણે 30થી વધુ લોકો દાઝી ગયા અને અમુક ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ ઘાયલ લોકોની ઔરંગાબાદ સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
25 લોકોની હાલત ગંભીર
જણાવી દઈએ કે ઈજાગ્રસ્ત લોકોમાં પોલીસકર્મીઓમાં મહિલા કોન્સ્ટેબલ પ્રીતિ કુમારી, ડીએપી અખિલેશ કુમાર, જગલલાલ પ્રસાદ, સૈફ જવાન મુકુંદ રાવ, જગલલાલ પ્રસાદ, ડ્રાઈવર મોઝ્ઝમ અને શાહગંજ વિસ્તારના શહેર પરિષદના પ્રમુખ ઉમેદવાર અનિલ ઓડિયા, ગયા જ્વેલર્સના પંકજ વર્મા, રાજીવ કુમાર, મોહમ્મદ શબદીર મોહમ્મદ અસલમ, સુદર્શન, આર્યન ગોસ્વામી, મોહમ્મદ છોટુ આલમ, અનિલ કુમાર, શાહનવાઝ સહિત 30 લોકો શામેલ છે જેમાંથી લગભગ 25 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આમાંથી ઘણા લોકોને ખાનગી નર્સિંગ હોમમાં પણ દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તેમની પણ સારવાર ચાલી રહી છે.
Aurangabad, Bihar| Injuries reported after fire broke out in a shop y'day, no casualties reported yet
We were preparing for Chhath puja, my wife was making meals. A sudden fire broke out at my shop after a cylinder there exploded. My family members were injured: Anil, Shopkeeper pic.twitter.com/ej0Dh31qj8
ગેસ લીક થવાને કારણે આગ લાગી
ઘરના માલિક અનિલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઘરમાં છઠનો તહેવાર ચાલી રહ્યો હતો અને બધા લોકો પ્રસાદ બનાવવામાં વ્યસ્ત હતા. એ સમયે અચાનક ગેસ લીક થવાને કારણે આગ લાગી હતી. પરિવારજનોએ બુમો પાડવાનું શરૂ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને શહેર પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ પછી પોલીસની ટીમ આવી ત્યારે લોકોએ આગ ઓલવવાનું શરૂ કર્યું પણ ત્યાં સુધીમાં આગ વધુ તીવ્ર બની ગઈ હતી. જેના કારણે અચાનક ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે 30થી વધુ લોકો દાઝી ગયા અને ઘાયલ થયા.