આજે નવરાત્રીની અષ્ટમી છે અને આઠમે થાય છે મહાગૌરીની આરાધના. શાસ્ત્રોમાં અષ્ટમીનું પૂજન મહત્વનું માનવામાં આવ્યું છે. જાણો કેવો રહેશે આજનો આપણો દિવસ?
આજે છે નવરાત્રિની અષ્ટમી અને નવરાત્રીની આઠમે થાય છે મહાગૌરીની આરાધના. શાસ્ત્રોમાં અષ્ટમીનું પૂજન મહત્વનું માનવામાં આવ્યું છે. મહાગૌરીની ઉપાસના તમામ કલેશને દૂર કરે છે.
જેના વસ્ત્ર આભૂષણ સફેદ છે
દેવીના ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા અને નીચેના હાથમાં ત્રિશુળ
ડાબી બાજુના ઉપરના હાથમાં ડમરુ અને નીચેના હાથમાં વર મુદ્રા
માતાની પૂજાથી લાભ
ભવિષ્યમાં પાપ-સંતાપ, દૈન્ય-દુ:ખ ભક્ત પાસે નથી આવતા
માતા મહાગૌરીની સપ્તશતી મંત્રોની પૂજા કરો
માતાને સુગંધિત પુષ્પ, સુગંધિત દ્રવ્ય, ધૂપ દીપ, ફળ પાન દક્ષિણા અર્પિત કરો
પૂજન સંપન્ન થયા બાદ માતાનો પ્રસાદ વિતરણ કરો
મહાગૌરીની પૂજાથી તમામ સુખ-સમૃદ્ધિની થાય છે પ્રાપ્તિ
અભિનય, ગાયન અને નૃત્યના ક્ષેત્રમાં કરિયરમાં મોટી સફળતા
ભય, નિરાશા અને ચિંતા કરે છે દૂર
માતાને નારિયળનો ભોગ લગાવો અને દાન પણ કરો
માતાની પૂજા કરવાથી મનપસંદ જીવનસાથી મેળવવાની ઈચ્છા પૂરી થાય છે
તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમમાં વધારો થાય છે
શુભાંક - આજનો શુભ અંક 4 છે
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય બપોરે 03-40 થી 05-04 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12-54 થી 02-17 સુધી
શુભ દિશા : બુધવારે મુસાફરી વર્જ્ય છે
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)