કુંભમેળામાં ખોટાં RTPCR ટેસ્ટનું કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી (ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા કરવામાં આવેલી એક તપાસમાં કુંભ મેળા દરમિયાન કોરોનાના નકલી કેસોનું એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે તપાસમાં ઇડી દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતાં.
આરોપ છે કે કુંભ દરમિયાન સ્નાન કરવા આવતા લાખો લોકોના કોરોના રિપોર્ટ ખોટાં હતા. એવું પણ માનવામાં આવે છે કે આના કારણે કોરોનાની બીજી લહેર ફેલાવવામાં પણ મોટો ફાળો રહ્યો હતો.
કૌભાંડ કઈ રીતે પકડાયું?
- એપ્રિલ 2021 ના દિવસે પંજાબના ફરીદકોટનાં રહેવાસી એક એલઆઇસી એજન્ટ વિપિન મિત્તલને એક મેસેજ આવ્યો. આ મેસેજ જોઈએન વિપિન ચોંકી ગયો.
- આ મેસેજ તેમના કોરોના રિપોર્ટની લિન્ક હતી તેમણે તપાસ્યું તો નામ પણ તેઓનું પોતાનું જ હતું. તેમને શંકા ગઈ કે તેઓનો ડેટા ચોરી કરવામાં આવી રહ્યો છે.
- ડેટાના દુરુપિયોગના ડરથી મિત્તલ જિલ્લા અધિકારીઓ પાસે ગયા. પણ તેની કોઈ સુનાવણી ન થવાથી આખરે તેમણે ઇંડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચને ઈમેલ કર્યો અને ફરિયાદ પણ નોંધાવી હતી.
- જો કે થોડા દિવસ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નહીં એટલે આખરે તેમણે કંટાળીને આરટીઆઇ (RTI) કરી.
- ત્યાર બાદ એક તપાસમાં જાણવા મળ્યું હતું કે જે પ્રયોગશાળામાં મિતલનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હત તે હરિદ્વારમાં છે અને મામલાની વધારે તપાસમાં મળવા મળ્યું હતું કે આવા તે એકલા વ્યક્તિ નથી. એક મોટા કૌભાંડમાં આશરે એક લાખ ખોટાં રિપોર્ટ બનાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આધિકારિક રેકોર્ડ અનુસાર સરકાર દ્વારા ભાડે રાખવામાં આવેલી 22 પ્રયોગશાળાઓ દ્વારા આશરે ચાર લાખ જેટલાં કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.
કુંભ કનેક્શન
કોર્ટના આદેશ બાદ હરિદ્વારમાં રોજના પચાસ હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતાં. પરંતુ પોઝિટીવીટી રેટ એકદમ ઓછો હતો.
અંદાજે 1,600 પાનાંના તપાસ રિપોર્ટમાં હરિયાણાની એક એજન્સીને આ તપાસના કેન્દ્રમાં રાખવામાં આવી હતી.
ખોટા કેસ પકડવામાં આવ્યા
આ તપાસમાં બહાર આવ્યું હતું કે અમુક નામ અને સરનામા ખોટા હતાં અને ઘણા બધા કેસમાં તો એક જ નંબર શેર કરવામાં આવ્યો હતો. તપાસમાં એક સિંગલ યુઝ એન્ટિજન ટેસ્ટનાં નામે અનેક લોકોના નામ રજિસ્ટર્ડ હતાં. કુંભમાં ન્હોતા એવા અનેક લોકોના નામ પણ સેમ્પલ લેનાર લોકોની સૂચીમાં મળ્યા હતાં.
કઈ લેબ એજન્સીઓ સામેલ?
ઇડી દ્વારા આ મામલે કેસ નોંધ્યા બાદ નોવ્ઝ પેથ લેબ્સ, ડીએનએ લેબ્સ, મેક્સ કોર્પોરેટ સર્વિસીસ, ડો.લાલ ચાંદની લેબ પ્રાઇવેટ લિમિટેડ, નલવા લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ સહિત ઘણા ડોક્ટરોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દિલ્હી, હરિદ્વાર, દેહરાદૂન, નોઈડા અને હિસારમાં પાડવામાં આવ્યા હતા. તેમના પર આરોપ છે કે તેમણે કુંભ સ્નાન દરમિયાન લખો લોકોના કોરોના રિપોર્ટ ખોટા આપ્યા હતાં. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બીજી લહેર ફેલાવવામાં આ આંકડાઓનો મોટો ભાગ રહ્યો હોઈ શકે છે.
એક લાખ લોકોને ફોન કર્યા?
તપાસ માટે લગભગ એક લાખ RTPCR જમા કરાવવામાં આવ્યા હતાં. અધિકારીઓ દ્વારા એક લાખ નંબરો પર ફોન કરવામાં આવ્યા અને તપાસ કરવામાં આવી કે તેઓ ખરેખર કુંભ મેળામાં સામેલ હતાં કે નહીં. આ રીતે કૌભાંડમાં સામેલ લોકોની ઑઁ તપાસ કરવામાં આવી અને બીજા પુરાવા પણ એકઠાં કરવામાં આવ્યા. ઉત્તરાખંડ સરકારે આઠ સભ્યઓની ટીમ એકઠી કરી અને આ નંબરો ડાયલ કરીને તેમનું વેરિફિકેશન કર્યું.
કયા આરોપીઓની ધરપકડ?
22 જુલાઇની પહેલી જ ધરપકડ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવી હતી. હરિદ્વારના સર્કલ ઓફિસર અભય પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે હરિયાણાના સ્થાનિક આરોપી આશિષ નલવા ઉપકરણો સાથે માણસો પૂરા પડતો હતો. તપાસમાં માલૂમ પડ્યું હતું કે તે કુંભ મેળા દરમિયાન કોવિડ-19 ટેસ્ટમાં અનિયમિતતાનો આરોપ લગાવનાર સંસ્થા અને મેળાની સંસ્થા વચ્ચે સમજૂતી થયા બાદ ICMR ના પોર્ટલ પર ડેટા અપલોડ કરતાં હતાં. એક રિપોર્ટમાં કુંભ મેળામાં ગયેલા તીર્થયાત્રીઓને સુપર સ્પ્રેડર્સ પણ કહેવામાં આવ્યા હતાં. રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પોઝિટિવ આવનાર લોકોની પણ વાત કહેવામાં આવી હતી. ઉત્તરાખંડે મે મહિનામાં કોરોના વાયરસના કેસમાં વધારા છતાં ધાર્મિક આયોજનો શરૂ રાખ્યા હતાં અને એ બાબત પર ન્યાયાલયે પણ વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે સરકારને ઊંઘમાંથી જાગીને મહામારી સામે લડવાની તૈયારીઓ કરવાનું સૂચન પણ આપ્યું હતું.