અમદાવાદમાં ડૂપ્લિકેટ ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. પામોલીન અને વનસ્પતિ ઘીમાં ભેળસેળ કરીને ઘી બનાવાતું હતું. અમૂલ નામથી ડૂપ્લિકેટ ઘી બનાવતા હતાં. ચમનપુરા ચકલા પાસે સુમેલ બિઝનેશ પાર્કમાં નકલી ઘીનું ગોડાઉન ઝડપાયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 3 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો છે.
વેપારીઓ જુદા જુદા કલરની ભેળસેળ કરી ડુપ્લીકેટ ઘીના ડબ્બા તૈયાર કરીને ઉંચી કિંમતે વહેંચતા હતા. સાથે ઘી ની બનાવટમાં પામોલીન અને વન્સપતિ ઘી, માખણની સુગંધ તેમજ અલગ અલગ કલરો ભેળવતા હતા. ત્યારે ક્રાઇમબ્રાન્ચ દ્વારા 3 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો છે.
આ પ્રકારના ઘી ખાવું શરીર માટે હાનિકારક છે, જેનાથી પેટની ગંભીર પ્રકારની બિમારીઓ થાય છે. તેથી ઘી ખરીદતા પહેલા ચકાચજો કે તમે ખરીદેલું ઘી નકલી તો નથીને.