બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ગાયના છાણથી ચાલતુ એક ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટર અનામી કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રેક્ટરનું પરફોર્મન્સ સામાન્ય ટ્રેક્ટરની જેમ જ હશે. સાથે જ પ્રદુષણ પણ ઓછુ કરશે. આ ટ્રેક્ટર માટે લગભગ 100 ગાયોના છાણને એકત્ર કરી બાયોમેથીનમાં ફેરવામાં આવ્યું છે.
ગાયના છાણથી ચાલશે ટ્રેક્ટર
સામાન્ય ટ્રેક્ટરની જેમ જ ચાલશે આ ટ્રેક્ટર
100 ગાયોના છાણથી બનાવવામાં આવ્યું છે
ગાયના છાણથી તમે ખાતર બનતા સાંભળ્યું હશે પરંતુ તેનો ઉપયોગ તમે ઈંધણના રીતે થતો નહીં જોયો હોય. એક રિપોર્ટ અનુસાર હવે છાણની મદદથી કૃષિ યંત્રોને ચલાવવામાં આવશે. આ રિપોર્ટ અનુસાર આવું ટ્રેક્ટર તૈયાર કરવામાં આવ્યું છે જે છાણથી ચાલશે. તેનું નામ T7 છે.
જાણો ટ્રેક્ટરની ખાસિયત
હકીકતે બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ગાયના છાણથી ચાલતુ એક ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટર અજાણ્યા નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ટ્રેક્ટરનું પરફોર્મન્સ સામાન્ય ટ્રેક્ટરની જેમ જ હશે. સાથે જ પ્રદુષણ પણ ઓછુ થશે. આ ટ્રેક્ટર માટે લગભગ 100 ગાયોના છાણને ભેગુ કરી બાયોમીથેનમાં બદલવામાં આવ્યું છે.
ક્રાયોજેનિક ટેંક છાણને કેવી રીતે કરે છે ઈંધણમાં કન્વર્ટ?
T7 ટ્રેક્ટરમાં ક્રાયોજેનિક ટેન્ક લગાવવામાં આવ્યું છે. આ ઈંધણની તરલતા બનાવી રાખે છે. ક્રાયોજેનિક ટેન્ક 160 ડિગ્રીના તાપમાનમાં બાયોમીથેનને લિક્વિફાઈડ કરે છે. છાણથી બનેલા આ ઈંધણથી 270 બીએચપીનું ટ્રેક્ટર સરળતાથી ચાલી શકે છે.
બ્રિટનના વૈજ્ઞાનિકોએ ગાયના છાણમાં મળતા મિથેન ગેસનો ઉપયોગ ટ્રેક્ટર ચલાવવામાં કર્યો છે. આ એવા પ્રકારથી જ ચાલે છે જે પ્રકારે સીએનજી ગેસનો ઉપયોગ કરી ગાડીઓ ચાલે છે.
ખેડૂતોના ખર્તમાં થશે ઘટાડો
ખેડૂતોને આ ટ્રેક્ટર મળ્યા બાદ તેમના મોટાભાગના ખર્ચમાં ઘટાડો થઈ જશે. જેનાથી ખેડૂતો વધેલી રકમનો ઉપયોગ પાક માટે કરી શકે છે. તેનાથી ઉપજ પણ વધશે અને નફો પણ વધશે. જરૂરિયાતોને પુરી કરવા માટે ટ્રેક્ટરના પૂર્વ ઉત્પાદન મોડલનું એક વર્ષ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.